એસોચેમનાં એક કાર્યક્રમમાં દેશના વિકાસ મુદ્દે વડાપ્રધાન મોદીએ રતન ટાટાનું સન્માન કર્યું અને તે બાદ તેમના વખાણ પણ કર્યા.
પીએમ મોદીએ ટાટા સમૂહની પ્રશંસા કરી
રતન ટાટાએ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વના કર્યા વખાણ
દુનિયાને ભારતની ગ્રોથ સ્ટોરી પર ભરોસો છે
રતન ટાટાનું કરાયું સન્માન
દેશના વિકાસમાં યોગદાન માટે પીએમ મોદીએ ટાટા સમૂહની પ્રશંસા કરી છે. શનિવારે એસોચેમના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. ટાટા સમૂહના માનદ ચેરમેન રતન ટાટાને એસોચેમ એન્ટરપ્રાઈઝ ઓફ ધ સેન્ચુરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ આ એવોર્ડ આપ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે દેશના વિકાસમાં ટાટા સમૂહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. નોંધનીય છે કે દેશની પ્રગતિમાં યોગદાનનાં કારણે આ પુરસ્કાર ટાટા સમૂહને આપવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં રતન ટાટાએ પણ કોરોના વાયરસ મહામારીમાં દેશનું નેતૃત્વ કરવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે તેમના નેતૃત્વનો લાભ ઉદ્યોગ જગતને પણ મળશે.
શું કહ્યું ટાટાએ
ટાટાએ કહ્યું કે એક સમય આવે છે જયારે અસંતોષ, વિરોધ પણ થાય પરંતુ તમે ત્યાંથી તેનાથી ભાગી ન શકો. તમે (જનતા) લોકડાઉન માંગી રહ્યા હતા તમને લોકડાઉન મળ્યું. પીએમ મોદીએ લોકોને કેટલીક મિનીટ માટે લીયાત બંધ કરી દીવા પ્રજ્વલિત કરવા પ્રેરિત કર્યા અને તમે એ કરી બતાવ્યું. તેમણે કહ્યું કે કોઈ ચમત્કાર નથી, કોઈ દંભ નથી. આના કારણે દેશને સાથે લાવવાનું કામ કરવામાં આવ્યું અને દેખાડ્યું કે અમે તમારી સાથે ઉભા થઇ શકીએ છે.
પીએમ મોદીના નેતૃત્વ પર ભરોસો
ટાટાએ વધુમાં કહ્યું કે ઉદ્યોગના રૂપે હવે અમારું એ કામ છે કે પીએમ મોદીનું અનુસરણ કરીએ અને તમારા નેતૃત્વનો લાભ ઉઠાવીએ જે વિશે મને વિશ્વાસ છે કે અમે કરી બતાવીશું.
પહેલા લોકો Why India કહેતા હતા, હવે Why not India કહે છે
પીએમ મોદીએ કહ્યું અમારો પડકાર માત્ર આત્મનિર્ભરતા જ નથી. પરંતુ અમે આ લક્ષ્યને જેટલી જલ્દી પ્રાપ્ત કરીએ છે, એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ કહ્યું એક સમયમાં આપણે ત્યાં જે પરિસ્થિતિ હતી, ત્યાર બાદ કહેવામાં આવતું હતું - Why India (ભારત જ કેમ). હવે જે સુધાર થયો છે , તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, હવે કહેવામાં આવી રહ્યું છે, Why Not India (ભારત કેમ નહીં).
ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સતત કરવામાં આવી રહ્યાં છે ફેરફાર
પીએમ મોદીએ કહ્યું કે નવા ભારત પોતાના સામર્થ્ય પર ભરોસો કરવાની સાથે પોતાના સંસાધનો પર ભરોસો કરતા આત્મનિર્ભર ભારતને આગળ વધાવી રહ્યું છે. અને આ લક્ષની પ્રાપ્તિ માટે ઉત્પાદન પર અમારુ વિશેષ ફોકસ છે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમે સતત ફેરફાર કરી રહ્યાં છીએ.