નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ પ્રત્યે દ્વેષ પેદા નહીં થાય અથવા તેમને સામાજિક રીતે નીચું જોવાની ફરજ પાડવામાં નહીં આવે ત્યાં સુધી આ માનસિકતા સમાપ્ત થશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી આગામી 25 વર્ષની બ્લુ પ્રિન્ટ કરી રજૂ
દેશ સામે ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સૌથી મોટા પડકાર
સૌથી મોટા પડકાર સામે લડવા દેશવાસીઓનું સમર્થન માંગ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 76માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચી પરથી 25 વર્ષની બ્લુ પ્રિન્ટ મૂકી હતી. ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સામે નિર્ણાયક લડાઈ લડવાનું આહ્વાન કરતાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ પ્રત્યે દ્વેષ પેદા નહીં થાય અથવા તેમને સામાજિક રીતે નીચું જોવાની ફરજ પાડવામાં નહીં આવે ત્યાં સુધી આ માનસિકતા સમાપ્ત થશે નહીં. તેમને પોતાની બંધારણીય અને લોકતાંત્રિક જવાબદારી ગણાવતા તેમણે આ યુદ્ધમાં દેશવાસીઓનું સમર્થન પણ માંગ્યું હતું.
દેશ સામે બે સૌથી મોટા પડકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કહ્યું કે, દેશ સામે બે મોટા પડકારો છે, જેમાં પહેલો ભ્રષ્ટાચાર અને બીજો પડકાર છે પરિવારવાદ. જો આ બંને વિકૃતિઓને સમયસર ઉકેલવામાં નહીં આવે તો તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. એવામાં એવા લોકો છે જેમની પાસે રહેવા માટે જગ્યા નથી, તો બીજી તરફ એવા લોકો પણ છે જેમની પાસે ચોરીનો માલ રાખવાની જગ્યા નથી. એટલા માટે આપણે ભ્રષ્ટાચાર સામે પૂરી શક્તિથી લડવું પડશે. તેમણે કહ્યું, છેલ્લા 8 વર્ષમાં આધાર અને મોબાઈલ સહિત અન્ય આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 20 લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં ગયા છે. સરકાર દેશના ભલા માટે તેનો ઉપયોગ કરવામાં સફળ રહી હતી.
જેને દેશને લુંટ્યો તેમણે પરત ફરવું પડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જે લોકો અગાઉની સરકારોમાં બેંકોને લૂંટીને ભાગી ગયા હતા, તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે અને તેમને પરત લાવવામાં આવી રહ્યા છે. ઘણા લોકોને જેલમાં રહેવાની ફરજ પડી છે. અમારો પ્રયાસ છે કે, જેમણે દેશને લૂંટ્યો છે તેઓ પાછા ફરે. અમે એવી સ્થિતિ ઊભી કરીશું. આવા લોકો હવે છટકી શકશે નહીં. ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ ખોખલો કરી રહ્યો છે અને તેમણે તેની સામેની લડાઈને વધુ તીવ્ર બનાવીને તેને ગંભીર તબક્કે લઈ જવાની છે.
Two big challenges we face today - corruption & 'Parivaarvaad' or nepotism. Corruption hollowing the country like a termite,we've to fight it.We've to raise awareness against 'Parivaarwaad' to realise strength of our institutions, to take country forward on the basis of merit: PM pic.twitter.com/ciXoJNegcB
આ સાથે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "મારા 130 કરોડ દેશવાસીઓ, તમે મને આશીર્વાદ આપો, તમે મને સમર્થન આપો, હું આજે તમારુ સમર્થન માંગવા આવ્યો છું, તમારો સહકાર માંગવા આવ્યો છું જેથી હું આ લડાઈ લડી શકું અને દેશ આ યુદ્ધ જીતી શકે. નરેન્દ્ર મોદી વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી સમાજમાં ગંદકી પ્રત્યે દ્વેષ નથી, ત્યાં સુધી સ્વચ્છતા પ્રત્યેની સભાનતા ઉત્પન્ન થતી નથી. તેવી જ રીતે, જ્યાં સુધી ભ્રષ્ટાચારીઓ પ્રત્યે ધિક્કારની લાગણી પેદા નહીં થાય, સામાજિક રીતે તેમને નીચું જોવાની ફરજ પાડવામાં નહીં આવે, ત્યાં સુધી આ માનસિકતાનો અંત આવવાનો નથી. એટલા માટે આપણે ભ્રષ્ટાચારની સાથે સાથે ભ્રષ્ટાચારીઓ સામે પણ ખૂબ જાગૃત રહેવાની જરૂર છે.
પરિવારવાદ દેશ માટે સારું નથી: મોદી
પરિવારવાદ સામે બોલતા પીએમએ કહ્યું, દુર્ભાગ્યે રાજનીતિના ક્ષેત્રમાં આ દુષ્ટતાએ ભારતની દરેક સંસ્થામાં પરિવારવાદને પોષ્યો છે. પરિવારવાદ આપણી ઘણી સંસ્થાઓને પોતાનામાં લપેટી રહ્યો છે અને તેના કારણે મારા દેશની પ્રતિભાને નુકસાન થાય છે. ભ્રષ્ટાચારનું એક કારણ પરિવારવાદ પણ બને છે. જ્યાં સુધી તેની સામે નફરત પેદા નહીં થાય ત્યાં સુધી આપણે સંસ્થાઓને બચાવી શકીશું નહીં. તેમણે કહ્યું, સંસ્થાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ભ્રષ્ટાચાર રોકવો ખૂબ જ જરૂરી છે. એ જ રીતે રાજકારણમાં પણ પરિવારવાદે દેશની તાકાત સાથે સૌથી વધુ અન્યાય કર્યો છે. રાજકારણમાં પરિવારવાદ પરિવારના કલ્યાણ માટે હોય છે અને તેને દેશના કલ્યાણ સાથે કોઈ લેવાદેવા નથી. તમારે પારિવારિક માનસિકતામાંથી બહાર નીકળવું પડશે. આપણે યોગ્યતાના આધારે દેશને આગળ લઈ જવાની દિશામાં આગળ વધવું પડશે.