પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16મા પ્રવાસી ભારતીય સંમેલનને સંબોધન કરતા કહ્યું કે આજે નવી પેઢી ભલે થોડી દૂર થઇ ગઇ હોય પરંતુ તેમનો લગાવ ભારત સાથે વધ્યો છે. પીએમ મોદીએ કહ્યું આ વખતે કોરોનાકાળમાં દેશના લોકોએ શાનદાર કામ કર્યું છે અને આ લોકોએ આસપાસના લોકોને મદદ કરતા જોવા મળ્યાં.
ભારતના વેક્સીન પર દુનિયાની નજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારતની વેક્સીનને લઇને દુનિયાભરના લોકો રાહ જોઇ રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતના સામર્થ્યનો લાભ દરેક વ્યક્તિને મળે છે. તે સિવાય પીએમ મોદીએ જાણકારી આપી કે કોવિડ-19ના સમયમાં નવા ટેક સ્ટાર્ટએપ્સ ભારતથી જ નીકળીને આવ્યાં છે.
ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે પીએલઆઇ સ્કીમની શરુઆત
આત્મનિર્ભર ભારત એક એવું માધ્યમ છે જેના દુનિયાના ગરીબ દેશ અને ત્યાં રહેતા લોકો ભારતથી સસ્તા અને ગુણવત્તાવાળો ઉપાય લઇને આવ્યાં. રોકાણથી લઇને ડિસ્પેચ સુધી તમારુ યોગદાન અદ્વિતીય રહ્યું છે. ભારતે શિક્ષાથી લઇને ઉદ્યમ સુધી સંગઠનાત્મક સુધાર કર્યા છે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પીએલઆઇ સ્કીમની શરુઆત કરી. આ સ્કીમને થોડા ઓછા સમયમાં ઘણી લોકપ્રિયતા મળી છે.
When India stood in the face of terrorism, world too got the courage to face this challenge. Today, India is using technology to end corruption. Money worth lakhs & crores are directly being credited to account of beneficiary: PM Modi at 16th Pravasi Bharatiya Divas convention pic.twitter.com/inqPBH8yp1
ભારત આજે ભ્રષ્ટાચારને ખત્મ કરવા માટે ટેકનીકનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યાં છે. કરોડો રુપિયા જે પહેલા કેટલીક ઉણપોના કારણે ખોટા હાથમાં જતા રહેતા હતા જે હવે સીધા લાભાર્થીઓના બેંકના ખાતામાં પહોંચી રહ્યાં છે. ભારતે જે નવી વ્યવસ્થા વિકસિત કરી છે તેની વૈશ્વિક સંસ્થાઓની પ્રશંસા કરી છે. આધુનિક ટેક્નોલોજીથી ગરીબમાંથી ગરીબ લોકોને મજબૂત કરવા જે અભિયાન આજે ભારતમાં ચાલી રહ્યું છે તેની ચર્ચા વિશ્વમાં દરેક જગ્યાએ દરેક સ્તર પર થઇ રહી છે.
ભારતની લોકશાહી એક ઉદાહરણ
પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને કહ્યું કે આજે ભારતની લોકશાહી સૌથી સફળ, સૌથી જીવંત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારતની લોકશાહી દુનિયા માટે એક ઉદાહરણ બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદી સામેની લડાઇમાં ભારતે દ્રઢતાથી કામ કર્યું છે.
In the past years, Non-Resident Indians have strengthened their identity in other countries: PM Narendra Modi https://t.co/D3SjMSAm33
દુનિયાભરથી કનેક્ટિવિટી માટે એક નવું પોર્ટલ લોન્ચ કર્યું
દુનિયાભરમાં ભારતીય સમુદાયની સાથે કનેક્ટિવીટી માટે સંબંધ (રિશ્તા) નામનું એક નવું પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે. આ પોર્ટલથી મુશ્કેલ સમમાં પોતાના સમુદાયના લોકોને સંપર્ક કરવો, તેમના સુધી પહોંચવું આસાન થશે. મહામારીના કારણે વિદેશોમાં ભારતીયોને રોજગાર સુરક્ષિત રહે તેના માટે ડિપ્લોમેટિક સ્તર પર દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવ્યો.