પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનું પગલું ઐતિહાસિક છે, તેનાથી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે, દુનિયાભરના રોકાણકારો આકર્ષિત થશે. અમારી અંગત ક્ષેત્રોની પ્રતિસ્પર્ધામાં સુધારો થશે. તેનાથી 130 કરોડ ભારતીયોની જીત થશે.
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની ઘટના ઐતિહાસિક : PM મોદી
અમિત શાહે પણ નાણાં મંત્રીના નિર્ણયને આવકાર્યો
સમાજના તમામ વર્ગ માટે મહત્વનો અવસર
PM Narendra Modi tweets, "The step to cut corporate tax is historic. It will give a great stimulus to Make in India, attract private investment from across the globe, improve competitiveness of our private sector, create more jobs and result in a win-win for 130 crore Indians." pic.twitter.com/rr2RAy4qyR
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં કરવામાં આવેલ જાહેરાતોથી સ્પષ્ટ છે કે, અમારી સરકાર ભારતને વેપાર કરવા માટે એક અગત્યનું સ્થાન બનાવવામાં કોઇ કસર છોડશે નહીં. સરકાર સમાજના તમામ વર્ગ માટે અવસરને વધું મજબૂત બનાવે છે અને દેશને પાંચ ટ્રિલિયન અર્થ વ્યવસ્થા બનાવવા માટે સમૃદ્ધ કરી રહી છે.
શું કહ્યું અમિત શાહે
Rationalisation of corporate tax had been a long pending demand, which is now a reality. This move will make our corporates globally competitive and our markets much more exciting for potential investors.
ગૃહમંત્રી અમિત શાહે પણ નાણામંત્રીના નિવેદને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોર્પોરેટ ટેક્સ કરવાની માગ ઘણા સમયથી ઉઠી રહી હતી હવે તે હકીકત બની ચૂક્યું છે. આ કદમ આપણા કોર્પોરેટ્સનેઆ પગલું અમારા કોર્પોરેટરોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે અને સંભવિત રોકાણકારો માટે અમારા બજારો ખૂબ રોમાંચક બની રહેશે.
પ્રધાનમંત્રી મોદી અને નાણાં મંત્રીનો આભાર
Modi government is committed to making India a big manufacturing hub and this decision along with previous announcements on relaxing FDI will go a long way in realising this objective. I congratulate PM @narendramodi and FM @nsitharaman for announcing these bold measures.
તેમણે વધુમાં કહ્યું કે, 'મોદી સરકાર ભારતને એક મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કટિબદ્ધ છે અને એફડીઆઈમાં છૂટછાટની અગાઉની ઘોષણાઓ સાથે, આ નિર્ણય આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં એક લાંબો માર્ગ નક્કી કરશે. હું આ હિંમતભેર પગલા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણનો આભાર માનું છું.
શેરબજારનાં સેન્સેક્સમાં ઉછાળો
GST કાઉન્સીલની બેઠક પહેલા નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કેટલીક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીએ કંપની અને વેપારીઓને મોટી રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની વાત કરી છે. કેન્દ્ર સરકારની થોડીક મીનિટો બાદ જ શેરબજારનાં સેન્સેક્સમાં 2000 અંકોની તેજી જોવા મળી તો નિફ્ટીમાં પણ 600થી વધુ અંકની તેજી જોવા મળી. આ બજારમાં 10 વર્ષની સૌથી મોટી તેજી છે. એવામાં રોકાણકારોને પણ વેપાર દરમ્યાન 5 લાખ કરોડથી પણ વધારે નફો થયો છે.