કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકારે ત્રણ મહિનાનું એડવાન્સ રાશન આપશે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે જીવન જરૂરિયાતની તમામ દુકાનો ખુલ્લી રહેશે જે પછી દૂધ હોય, શાક-ફ્રૂટ, ઈંડા-માંસ કે પછી અન્ય જરૂરી સામાન.
ગરીબો માટે કરી મોટી જાહેરાત
કોરોના વાયરસના મુદ્દે કેબિનેટની બેઠક મળી
બેઠકમાં જોવા મળ્યું સોશિયલ અંતરનું ઉદાહરણ
ગરીબો માટે મોટો નિર્ણય
દેશના 80 કરોડ લોકોને 2 રુપિયા કિલોના હિસાબે ઘંઉ અને 3 રુપિયાનાં હિસાબે ચોખા મળશે. કોરોના વાયરસને કારણે આ નિર્ણય આવનારા 3 મહિના માટે લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે 27 રુ. કિલો મળતાં ઘઉં 2 રુ કિલો જ્યારે 37 રૂપિયે કિલો મળતાં ચોખા 3 રૂપિયાએ મળશે.
સરકારે કહ્યું ગભરાઈને સામાન ન ખરીદો
કોરોના વાયરસને કારણે દેશભરમાં લૉકડાઉન છે. ગભરાઈને લોકો સામાન ખરીદી રહ્યાં છે અને પોતાના ઘરોમાં ભરી રહ્યાં છે જેથી આગામી દિવસોમાં પરેશાની ન થાય. આ વચ્ચે કૅબિનેટમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી પ્રકાશ જાવડેકરે આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશના 80 કરોડ લોકોને રાશન મળશે. કોઈ પણ જરૂરી સામાનની કમી નહીં થવા દઈએ.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે સરકાર તરફથી સ્પષ્ટ કર્યુ કે લૉકડાઉન જેવા સમયમાં ક્યાં પણ જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો બંધ નહીં રહે. લોકો ગભરાઈને સામાનની ખરીદી ન કરી, નહીં તો સંગ્રહખોરી અને કાળાબજારને પ્રોત્સાહન મળશે.
પ્રકાશ જાવડેકરે લોકોને અપીલ કરતા કહ્યું છે કે અફવાઓથી દુર રહો. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કામ કરી રહી છે. જીવન જરુરી વસ્તુઓ પર કોઈ અસર નહીં પડે.ગૃહ મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.તેની સાથે તેમણે એમ પણ કહ્યુ હતું કે ડૉક્ટર અને પત્રકારને કોઈ હેરાન ન કરો કેમ કે તે સેવાનું કામ કરી રહ્યા છે.
ઘણા રાજ્યોમાં મફત અનાજના વિતરણની જાહેરાત
ઉત્તરપ્રદેશ સરકારે 1.65 કરોડ ગરીબ પરિવારોને 1 મહિનાની માટે મફત રાશન આપવાની જાહરાત કરી
દિલ્હી સરકારે પ્રતિ વ્યક્તિ દીઠ માસિક 7 કિલો ઘઉં અને 5 કિલો ચોખા કોઇ પણ પ્રકારના ચાર્જ વગર આપવાની જાહેરાત કરી
પુના શહેરમાં આવશ્યકતા પડતા એક મહિનાનું રાશન એડવાન્સમાં અપાશે
કેરળ સરકારે કોરોના પીડિતોને મફત ખાદ્યચીજો-અનાજ આપવાની જાહેરાત કરી
રાજસ્થાન સરકારે 1 કરોડ બીપીએલ પરિવારને બે મહિનાનું અનાજ મફ્તમાં તે પણ એડવાન્સ આપવાની જાહેરાત કરી
કર્ણાટક સરકારે દરેક બીપીએલ પરિવારને 10 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મફત આપવાની જાહેરાત કરી
PM મોદીએ બોલાવી હતી બેઠક
કોરોના વાયરસથી જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવાને લઇને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ સ્થાન પર કેબિનેટની બેઠક બોલાવી હતી. આ દરમિયાન બધા મંત્રીઓનુ ખુરશી વચ્ચે એક અંતર રાખવામાં આવ્યું. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું અંતર જાળવી શકાય. મહત્વનું છે કે કોરોના વાયરસના વધતા કહેરના કારણે દેશમાં 21 દિવસ સુધીના લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સલાહ આપવામાં આવી રહી છે. આ નિયમનું પાલન PM નરેન્દ્ર મોદી પણ કરી રહ્યાં છે. બુધવારના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર બોલાવામાં આવેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક પર મંત્રીઓ વચ્ચે એક-એક મીટરનું અંતર જોવા મળ્યું.
Union Cabinet meeting chaired by Prime Minister Narendra Modi underway at 7 Lok Kalyan Marg, social distancing seen. #COVID19pic.twitter.com/un3aXd8I8O
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે લોકડાઉનના સમયે જરૂરી છે કે તમે કોઇને ના મળો. પોતાના ઘરમાં જ રહો અને સોશિયલ અંતરનું પાલન કરો.