પીએમ મોદી પોસ્ટર મામલો: સુપ્રીમ કોર્ટમાં ધરપકડ વિરૂદ્ધ દાખલ થઈ અરજી, FIR કેન્સલ કરવાની માંગ
પોસ્ટર રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા
તપાસમાં જાણવા મળ્યું કે આ પોસ્ટર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓએ લગાવ્યા હતા
ફ્રીડમ ઓફ સ્પિચ હેઠળ દાખલ થઈ અરજી
પોસ્ટર મામલામાં 25 લોકો વિરૂદ્ધ દાખલ થઈ છે FIR
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કથિત રીતે આલોચના કરતા પોસ્ટર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં એ દરેક લોકો વિરૂદ્ધ એફઆઈઆર રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ આલોચના કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
ફ્રીડમ ઓફ સ્પિચ હેઠળ દાખલ થઈ અરજી
ફ્રીડમ ઓફ સ્પિચનો હવાલો આપતા અરજીકરતા પ્રદીપ કુમારે અરજીમાં કહ્યું કે સરકારની વેક્સિનેશન પોલિસી પર સવાલ ઉઠાવતા પોસ્ટરો વિરૂદ્ધ કાર્યવાહી અને FIR દાખલ નહીં કરવાને લઈને દિલ્હી પોલીસને સૂચન આપવામાં આવે.
પોસ્ટર મામલામાં 25 લોકો વિરૂદ્ધ દાખલ થઈ છે FIR
વેક્સિનેશન અભિયાન સંબંધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના કરનાર પોસ્ટર રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા. જ્યાર બાદ દિલ્હી પોલીસે આ મામલે 25 લોકો વિરૂદ્ધ FIR દાખલ કરી તેમની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં પીએમ મોદી વિરૂદ્ધ આ પોસ્ટર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ લગાવ્યા હતા.