વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લદ્દાખમાં નીમુના બ્રિગેડ સ્થાન પર સિંધુ દર્શન પૂજન કર્યુ હતું. પૂર્વ લદ્દાખમાં છેલ્લા કેટલાક સમયથી ઉદ્ભવેલા ભારત અને ચીન વચ્ચે લશ્કરી તણાવમાં કોઈ ઘટાડો થયો નથી. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારે સવારે લદ્દાખની મુલાકાતથી બધાને આશ્ચર્ય થયું હતુ.
તેઓ પૂજાની વિધી કરતા નજરે પડી રહ્યા છે
સિંધુ દર્શન પૂજન કર્યુ હતુ
આ ફોટોગ્રાફ્સ પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે
નરેન્દ્ર મોદીએ લેહની મુલાકાત દરમિયાન સિંધુ દર્શન કર્યા હતા. તેમજ તેમણે દર્શનની સાથે પૂજન પણ કર્યુ હતુ. તેમના આ ફોટોગ્રાફ્સ પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેમજ તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ પૂજાની વિધી કરતા નજરે પડી રહ્યા છે.
આ સમય દરમિયાન વડા પ્રધાને લેહના નીમુની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે આર્મી, એરફોર્સ અને આઇટીબીપીના જવાનો સાથે વાતચીત કરી હતી. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ.એમ. નરવણે હતા. 15 જૂનની રાત્રે પૂર્વ લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ સર્જાયેલા તણાવ વચ્ચે વડા પ્રધાન મોદી શુક્રવારે અચાનક લેહ પહોંચ્યા હતા.
#WATCH Prime Minister Narendra Modi performed Sindhu Darshan puja on his arrival at Nimu the forward brigade place in Ladakh, yesterday pic.twitter.com/pywgyrioql
પ્રધાનમંત્રી સવારે લગભગ 9.30 વાગે લેહ પહોંચ્યા હતા. એ બાદ તેમણે 11 હજાર ફીટની ઉંચાઈ પર સ્થિત નીમૂમાં ભૂમિ દળ, વાયુસેના અને ઈન્ડો તિબ્બત સુરક્ષા દળ (આઈટીબીપી)ના જવાનો સાથે વાતચીત કરી હતી. આ સાથે સીમા પરની સ્થિતિનું નિરિક્ષણ કર્યુ હતુ.
Prime Minister Narendra Modi performed Sindhu Darshan puja on his arrival at Nimu the forward brigade place in Ladakh, yesterday pic.twitter.com/XIF7ZMUIzR
તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ ચીનને પણ જોરદાર સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે વિસ્તરણવાદનો યુગ પૂરો થયો. આ યુગ ઉત્ક્રાંતિવાદનો છે. આખું વિશ્વ તેની વિરુદ્ધ પોતાનું મન બનાવે છે. ઇતિહાસમાં વિસ્તરણવાદે માનવતાનું સૌથી વધુ નુકસાન કર્યું છે.
તેમણે કહ્યું કે જો કોઈ વિસ્તરણવાદનો આગ્રહ રાખે છે, તો તે હંમેશાં વિશ્વ શાંતિ માટે ખતરો છે. ઇતિહાસ બતાવે છે કે આવી તાકાતો નષ્ટ થઈ ગઈ છે.