PM મોદી QUAD સંમેલનમાં ભાગ લેવા માટે Japan ની મુલાકાતે છે. તેમણે ત્યાંના એક ટોચના અખબારમાં ઓપીનિયન એડિટોરીયલ લખ્યો છે જેમાં તેમણે બંને દેશોના સંબંધોને વિશેષ, વ્યૂહાત્મક અને વૈશ્વિક ગણાવ્યા હતા.
જપાનની મુલાકાતે PM મોદી
ભારત જપાન સંબંધો વિશે લખ્યો લેખ
કહ્યું બંને દેશો વચ્ચેના સંબંધોમાં હજુ શ્રેષ્ઠ તો આવવાનું બાકી છે.
કોરોના મહામારી પછી ઇન્ડો પેસિફિક વિસ્તારમાં સલામતી અને સુરક્ષા ઉપરાંત મજબૂત સપ્લાય ચેનનું નિર્માણ કરવા માટે આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત કરવાની જરૂરિયાત ભારત અને જાપાન એ બંને દેશો માટે ઊભી થઈ છે.
પ્રધાનમંત્રી મોદી ક્વાડના બીજા સંમેલનમાં ભાગ લેવા માટે જપાન પહોંચ્યા છે. આજે ટોકયો ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓની આ જપાન મુલાકાત વિદેશનીતિના ભાગરૂપે વિશેષ મહત્વ ધરાવે છે.
ભારત અને જપાનના સંબંધો અંગે PM મોદીએ શું કહ્યું?
ભારત અને જાપાનના સંબંધો અંગે PM મોદીએ જપાનના એક અગ્રણી અખબારમાં લેખ લખ્યો છે. જેમાં તેમણે લખ્યું હતું કે ભારત અને જાપાનના સંબંધો વિશેષ, વ્યૂહાત્મક અને વૈશ્વિક છે. શ્રેષ્ઠ તો હજુ આવવાનું બાકી છે.
Penned an op-ed on the vibrant relations between India and Japan. Ours is a partnership for peace, stability and prosperity. I trace the journey of our special friendship which completes 70 glorious years. @Yomiuri_Onlinehttps://t.co/nXx8y3qiQL
ક્વાડ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી મોદી 23-24 મેના રોજ જાપાની રાજધાની ટોક્યોમાં રહેવાના છે. આ દરમિયાન મોદી અહીં એક બાજૂ ક્વાડ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેશે, તો વળી લગભગ 36 કલાકની આ મુસાફરીમાં તેમની મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા પીએમ સાથે પણ થશે.
પ્રધાનમંત્રી મોદી આ ત્રીજી જાપાન યાત્રામાં જ્યાં એક તરફ ક્વાડ નેતાઓ સાથે મહત્વપૂર્ણ એજન્ડા પર ચર્ચા કરશે. તો વળી દ્વિપક્ષીય વાર્તા દરમિયાન રોકાણ, વેપાર, સુરક્ષા, ટેકનિક સહિત કેટલાય મુદ્દા પર મહત્વની વાતચીત કરશે.
ક્વાડના ભવિષ્ય અને તેને પ્રભાવી બનાવી રાખવા માટે ટોક્યોની બેઠકમાં ખાસ મહત્વ માનવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે, એશિયા-પ્રશાંત વિસ્તારમાં તેમનો દેશ જ્યાં આર્થિક અને સુરક્ષાના પડકાર સામે ઝઝૂમી રહ્યો છે,. તો વળી ક્વાડના વાયદા પર જમીન પર ઉતરવામાં હાલમાં નબળા દેખાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે અમેરિકા-જાપાન- ભારત અને ઓસ્ટ્રેલિયાના નેતાઓની કોશિશ રહેશે કે, મજબૂત પરિણામ આપનારી યોજનાઓને ઝડપથી આગળ વધારે.
ભારતીય સમુદાયના લોકો સાથે પણ ચર્ચા કરશે
જાપાનમાં પીએમ મોદીની જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે આમને સામને બીજી મુલાકાત હશે, તો વળી જાપાનમાં પીએમ કિશીદાથી ફક્ત બે મહિનાની અંદર બીજી વાર મળશે. આ ઉપરાંત પીએમ મોદી જાપાનમાં ફક્ત બે દિવસના પ્રવાસમાં જાપાની ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે અને સાથે ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે. આ બંને જ કાર્યક્મ આજે જ થવાના છે, જ્યારે ક્વાડ નેતાઓ સાથે શિખર સંમેલન 24મેના રોજ થશે.
40 કલાકમાં 23 બેઠકોમાં ભાગ લેશે
વડાપ્રધાન મોદી 40 કલાક સુધી જાપાનમાં રહેશે અને 23 બેઠકોમાં ભાગ લેશે. આ સાથે 36 જાપાની સીઈઓ અને પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરશે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી જાપાનના વડાપ્રધાન ફૂમિયો ફિશિદાના નિમંત્રણ પર ક્વાડ સંમેલનમાં ભાગ લેવા જાપાન જઇ રહ્યાં છે. ક્વાડ સંમેલન દરમ્યાન પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાની વડાપ્રધાન ફૂમિયો ફિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાનની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ક્વાડ સંમેલનમાં ઘણા વિષયો પર વાતચીત થશે. તેમણે કહ્યું કે ક્વાડ સંમેલનનો ઉદ્દેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધી અને સ્થિરતાને લઇને સકારાત્મક અને ક્રિએટીવ એજન્ડાને લાગુ કરવા પર ભાર આપવાનો છે. સંમેલન દરમ્યાન આ વાત પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે કે આ ક્ષેત્રમાં કેટલી પ્રગતિ થઇ છે. આ સાથે ભવિષ્યમાં કયા-કયા પગલા ઉઠાવી શકાય છે.
વૈશ્વિક મુદ્દા પર વિચાર-વિમર્શ કરાશે
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે ક્વાડ સંમેલનમાં ઈન્ડો પેસિફિકમાં એક ડી-કાર્બોનાઇઝ્ડ ગ્રીન શિપિંગ નેટવર્ક તૈયાર કરવુ, સ્વચ્છ હાઈડ્રોજનનો ઉપયોગ કરવાની સાથે તેને વધુ સુલભ બનાવવુ, ઈન્ડો પેસિફિક દેશોની જળવાયુ દેખરેખ પર મંથન કરવામાં આવશે. 24મેના રોજ ટોક્યોમાં થનારી સમિટમાં ક્વાડ લીડર્સ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પડકાર અને અવસરની સાથે-સાથે વૈશ્વિક મુદ્દા પર વિચાર-વિમર્શ કરાશે.