રાષ્ટ્રપિત મહાત્મા ગાંધીની 150મી જયંતી પર આજે દુનિયાભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના અલગ અલગ ભાગોમાં પણ ભવ્ય આયોજન કરાઇ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે નવી દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પીએમ મોદી અમદાવાદની મુલાકાત લીધી. ત્યારે તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.