નવી દિલ્હીઃ ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે સંસદભવનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાબાસાહેબની 127મી જન્મજયંતી નિમિત્તે પીએમ મોદી સહિત ભાજપના અન્ય નેતાઓએ તથા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પી. ચિદમ્બરમ રાજનાથ અડવાણી સહિતના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ભાજપ કોંગ્રેસ સપા બસપા સહિત દરેક રાજકીય પક્ષો આ નિમિત્તે વિશેષ આયોજન કરાવી રહ્યા છે. આંબેડકર જયંતી પર રાજકીય દળો દલિતોને રિઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
ત્યારે ગૃહ મંત્રાલયે આ નિમિત્તે કોઇ પણ પ્રકારના જાતીય કે રાજકીય દંગા ન થાય તેના માટે એલર્ટ જાહેર કરાયું છે.