પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે તેઓ અનેક યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આજે સવારે(18 જૂન) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાવાગઢ ત્યારબાદ વડોદરાની મુલાકાત લેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે પ્રચાર તેજ કરી દીધો છે. એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી જૂને મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં ગાંધીનગર રાજભવન ખાતે તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સ્વાગત કરાયું હતું. રાજભવન ખાતે તેઓ રાત્રી રોકાણ કરશે. તો સવારે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે જઇ શકે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી આજે સવારે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરશે. બાદમાં વડોદરા પહોંચીને અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
ગુજરાતની મુલાકાતે પધારેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્નેહસભર સ્વાગત કર્યું.
પ્રધાનમંત્રીશ્રી આવતીકાલે વિકાસના અનેક પ્રોજેક્ટ્સની ભેટ ગુજરાતને આપશે. આ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રીશ્રીની સાથે સહભાગી થવા ઉત્સુક છું. pic.twitter.com/fmSDOWFVJ8
વડોદરામાં પ્રધાનમંત્રી મોદી ત્યારબાદ અહીં તેઓ એક સભાને સંબોધશે. વડોદરામાં સભા સ્થળે 9 ડોમ બનાવાયા છે જેમાં 3 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા આજે(18 જૂન) 100 વર્ષના થઈ રહ્યાં છે. હીરાબાના 100 વર્ષ થવા પર પરિવાર દ્વારા વડનગરમાં પૂજાપાઠ અને ભક્તિ સંધ્યા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજનો સમગ્ર કાર્યક્રમ જાણી લો...
પ્રધાનમંત્રીનો પાવાગઢનો સમગ્ર કાર્યક્રમ
PM મોદી પાવાગઢ મંદિરની મુલાકાતે જશે
PM મોદી પાવાગઢ મંદિરમાં માતાજીના દર્શન કરશે અને ધ્વજા લહેરાવશે