ગંગા સફાઇ અભિયાન મોદી સરકાર માટે પ્રારંભથી જ ઘણો મહત્વનો મુદ્દો રહ્યો છે. આજે આ કડીમાં નવા આયામ જોડાવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'નમામિ ગંગે મિશન' હેઠળ ઉત્તરાખંડમાં 6 મેગા પરિયોજનાઓનું વીડિયો કોન્ફરન્સથી ઉધ્ધાટન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જળ જીવન મિશનથી દરેક ઘર શુધી શુદ્ધ જળ પહોંચાડવામાં આવશે. ગંગા આપણી વિરાસતનું પ્રતીક છે. ગંગા દેશની અડધી જનસંખ્યાને સમૃદ્ધ કરે છે. પહેલા પણ ગંગાની સફાઇને લઇને મોટા અભિયાન ચલાવામાં આવ્યાં, પરંતુ તેમાં જનભાગીદારી નહોતી. જો તે જ રીતે કર્યું હોત તો ગંગા સાફ ના થઇ હોત.
Today these people are misleading farmers over MSP. There will not only be MSP in the country but also the freedom for farmers to sell their produce anywhere. But some people are unable to tolerate this freedom. Their one more medium to earn black income is finished: PM Modi https://t.co/bGQXerSvBX
ચોખ્ખા પાણીને લઇને પીએમ મોદીએ કહ્યું કે હવે ઉત્તરાખંડમાં એક રૂપિયામાં પાણીનું કનેકશન મળી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે પહેલા દિલ્હીમાં નિર્ણયો લેવામાં આવતા હતા, પરંતુ જળ જીવન મિશનથી હવે ગામડામાં જ નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું કે વિરોધ કરનારાઓ ખેડૂતોને આઝાદ થવા દેવા માગતા નથી. ખેડૂત જેની પૂજા કરે છે તેને જ આગ લગાવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં MSP રહેશે અને વિપક્ષ જે MSP પર દાવો કરી રહ્યા છે તેઓ ખોટા છે.
They are insulting the farmers by setting fire to the machines and equipment that is worshipped by them. For years, they said that they will implement MSP but they never did. This was done by our govt as per the recommendation of the Swaminathan Commission: PM Narendra Modi pic.twitter.com/T4qTcHITru
પીએમ મોદીએ કૃષિ બિલ પર ચાલી રહેલા વિરોધ પર પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ કહ્યું કે ખેડૂત બિલ પર દેશના ખેડૂતો, શ્રમિકો અને દેશના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સુધાર કરવામાં આવ્યાં છે. આ સુધારાથી દેશના શ્રમિકો સશક્ત બનશે, દેશનો નૌજવાન સશક્ત બનશે, દેશની મહિલાઓ સશક્ત થશે, દેશનો ખેડૂત સશક્ત થશે, પરંતુ આજે દેશ જોઇ રહ્યો છે કે કેટલાંક લોકો વિરોધ ખાતર વિરોધ કરી રહ્યો છે.
Farmers can now sell their produce to anyone, anywhere. But when centre is giving farmers their rights, these people are opposing it. They don't want farmers to sell their produce in open market, they want middlemen to earn profit. They're opposing the freedom of farmers: PM Modi https://t.co/H5mNHgRe7K
પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને તેમનો અધિકાર આપવા જઇ રહી છે, તો પણ આ લોકો વિરોધ કરી રહ્યાં છે. આ લોકો ઇચ્છે છે કે દેશનો ખેડૂત ખુલ્લા માર્કેટમાં પોતાનો પાક ન વેચી શકે. જે સામાનોની, ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવી આ લોકો ખેડૂતોનું અપમાન કરી રહ્યાં છે.