અફઘાનિસ્તાન સુધી માનવતાવાદી સહાય પહોંચે તે જરૂર છે.
અફઘાનિસ્તાન વિશે લાગણી છે પરંતુ તેના પર ધ્યાન આપવાની જરૂર છે
અફઘાનિસ્તાનની પરિસ્થિતિને અલગ કરીને ન જોવી જોઈએ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિને અલગ કરીને ન જોવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે યુદ્ધગ્રસ્ત દેશ તરફથી આવી રહેલા જોખમો અને ધમકીઓને ખૂબ જ કાળજીપૂર્વક જોવું જોઈએ. ઉપરાંત, વડા પ્રધાન મોદી શનિવારે વેટિકન સિટીમાં પ્રતિનિધિમંડળ-સ્તરની મંત્રણા પહેલાં ખાનગીમાં કેથોલિક ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસને મળશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કોવિડ -19 જેવા કેસોને લગતા વૈશ્વિક પરિદ્રશ્ય પર ચર્ચા કરવામાં આવશે.
There was discussion on climate change issues, also on some areas of regional and global interests including the situation in Afghanistan, the Indo-pacific were discussed in both meetings: Harsh Vardhan Shringla, Foreign Secretary pic.twitter.com/qfs8VMVg52
અફઘાનિસ્તાન વિશે લાગણી છે પરંતુ તેના પર ધ્યાન આપવાની જરૂર છે
શ્રિંગલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બે દાયકાની મોંઘી લડાઈ બાદ અમેરિકાએ 31 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરી હતી, પરંતુ હાલમાં જ તાલિબાને દેશની સત્તા પર કબજો કરી લીધો છે. શ્રીંગલાએ કહ્યું કે, વડાપ્રધાને ખાસ કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિને અલગ કરીને ન જોવી જોઈએ. અફઘાનિસ્તાનથી આવવા વાળી કેટલીક ધમકીઓ એવી છે. જેને આંતરરાષ્ટ્રીય સમુદાયે ખૂબ જ સાવધાનીપૂર્વક જોવાની જરૂર છે. શ્રિંગલાએ વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાન વિશે મજબૂત લાગણી છે, જે યુરોપિયન યુનિયન અને ઇટાલીના ભાગીદારો બંને દ્વારા સમજાય છે.
અફઘાનિસ્તાન સુધી માનવતાવાદી સહાય પહોંચે તે જરૂર છે.
ઇટાલીના વડાપ્રધાને G20 સમિટ દરમિયાન અફઘાનિસ્તાન માટે સમર્થન વધારવા સહિત તેમના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો, જેથી અફઘાનિસ્તાનના લોકો વર્તમાન પરિસ્થિતિની ખરાબ અસરોનો સામનો ન કરે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું .શ્રીંગલાએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ રેખાંકિત કર્યું કે શાસન કરનારા લોકો અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચે તફાવત હોવો જોઈએ અને ત્યાંના લોકોને માનવતાવાદી સહાય પ્રદાન કરવી જોઈએ. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન સુધી સીધી અને અવરોધ વિના માનવતાવાદી સહાય પહોંચે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે.
On the meeting (of PM Modi) with Presidents of the European Commission and European Council, as well as, the meeting that has just been held with Italian PM Mario Draghi, the main issues of discussion were related to G20 Summit: Harsh Vardhan Shringla, Foreign Secretary pic.twitter.com/jVfoFD7vC5
પોપ સાથે ચર્ચા કરવામાં આવે છે, ત્યારે કોઈ એજન્ડા હોતો નથી
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે વેટિકને વાટાઘાટો માટે કોઈ એજન્ડા નક્કી કર્યો નથી. 'હું માનું છું કે પરંપરા એ છે કે જ્યારે પોપ સાથે ચર્ચા કરવામાં આવે છે, ત્યારે કોઈ એજન્ડા હોતો નથી અને અમે તેનું સન્માન કરીએ છીએ. મને ખાતરી છે કે આ સમય દરમિયાન આપણે સામાન્ય રીતે વૈશ્વિક પરિદ્રશ્ય અને આપણા માટે મહત્વના મુદ્દાઓ વિશેની ચર્ચામાં સામેલ થઈશું.’ તેમણે કહ્યું, ‘કોવિડ-19, સ્વાસ્થ્ય સમસ્યાઓ, આપણે સાથે મળીને કેવી રીતે કામ કરી શકીએ... જે હું માનું છું. સામાન્ય રીતે ચર્ચા કરવામાં આવે છે.