કોરોના વાયરસના સંકટમાંથી દેશ પસાર થઈ રહ્યો છે આ સમયે ભારતમાં અનેક વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ સમયે PM મોદીએ કહ્યું છે કે જ્યારે ભારતમાં કોરોના વેક્સીન આવશે ત્યારે તે દરેક નાગરિકને અપાશે. તેમાંથી કોઈ છૂટશે નહીં.
કોરોના વેક્સીનને લઈને પીએમનું નિવેદન
દરેક નાગરિકને માટે મળી રહેશે વેક્સીન
કોઈ પણ વ્યક્તિ વેક્સીનમાં છૂટશે નહીઃ PM મોદી
હાલમાં એક ઈન્ટરવ્યૂમાં PM મોદીએ કહ્યું છે કે હું દેશને વિશ્વાસથી કહું છું કે જ્યારે દેશમાં વેક્સીન આવશે ત્યારે દરેક નાગરિકને વેક્સીન અપાશે. કોઈને છોડી દેવાશે નહીં. કોરોના સંકટને લઈને પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં સરકારના સમયે લેવાયેલા નિર્ણયો અને લોકોની મદદથી અનેક લોકોના જીવ બચ્યા છે. લોકડાઉન લગાવવા અને ફરી અનલોકની પ્રક્રિયા યોગ્ય સમયે કરવામાં આવી હતી.
લોકોએ સાવધાની રાખવી, કોરોનાનું સંકટ હજી પણ છેઃ PM
પીએમ મોદીએ કહ્યું કે કોરોનાનું સંકટ હજી પણ કાયમ છે. એવામાં લોકોએ સાવધાની રાખવી. તહેવારમાં વધારે સતર્ક રહેવું. આ સમયે કોઈ ઢીલ રાખવી નહીં. ભારત સરકારની તરફથી અત્યારથી વેક્સીન ડિસ્ટ્રીબ્યુશનની તૈયારીઓ કરાઈ રહી છે જેથી સમયસર દરેકને વેક્સીન આપી શકાય. સરકારે આ માટે 50 હજાર કરોડનું બજેટ રાખ્યું છે. એક વ્યક્તિને વેક્સન આપવા માટે 385 રૂપિયાનો ખર્ચ આવવાની શક્યતા છે. હાલમાં કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. પરંતુ દેશમાં વેક્સીનને લઈને કામ કરાઈ રહ્યું છે અને તે સતત આગળ વધી રહ્યું છે.
બિહારમાં ફ્રી વેક્સીનની જાહેરાત
બિહાર વિધાનસભામાં ભાજપે ઘોષણાપત્રમાં કહ્યું કે સત્તામાંઆવ્યા બાદ તે બિહારજનોને ફ્રીમાં કોરોના વેક્સીન આપશે. આ માટે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. રાજકીય દળોએ કોરોના વેક્સીનને મુદ્દો બનાવ્યો. આ સમયે ભાજપે સ્પષ્ટતા કરી કે ભારત સરકારની તરફથી જે રીતે રાજ્ય સરકારને વેક્સીન અપાશે તે રીતે ભાજપની સરકાર રાજ્ય સરકારના સ્તરે લોકોને ફ્રીમાં વેક્સીન આપશે.