વારાણસીમાં પોતાનું નામાંકન ભરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલ ભૈરવ મંદિર પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીં પૂજા અર્ચન કર્યાં. પીએમ મોદી સાથે અહીં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે ઉપસ્થિત રહ્યાં.
વારાણસીમાં પોતાનું નામાંકન ભરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલ ભૈરવ મંદિર પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીં પૂજા અર્ચન કર્યાં. પીએમ મોદી સાથે અહીં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે ઉપસ્થિત રહ્યાં. પીએમ મોદીનું મંદિરમાં તુલસીની માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી દર્શન કર્યા બાદ કલેક્ટ્રેટ તરફ ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધવતા અગાઉ ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ અગાઉ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં કહ્યું કે પીએમ મોદીએ કાશીની નવી ઓળખ ઉભી કરી છે. પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતાં કહ્યું કે કાલે મે જે દ્રશ્ય જોયું તેમાં તમારા પરસેવાની મહેક આવી રહી હતી.
પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે હું પણ બૂથ કાર્યકર્તા રહ્યો છું, મને પણ દીવાલ પર પોસ્ટર લગાવવાનું સૌભાગ્ય મળ્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આજે દેશમાં લોકો જાતે કહી રહ્યાં છે કે એક વાર ફરી મોદી સરકાર. આ વખતે પોલિટીક્સના પંડિતોનું ગણિત ખોટુ પડશે. પીએમ મોદીએ કહ્યુંકે આ વખતે જનતા મન બનાવી ચૂકી છે, આ ઇતિહાસમાં પ્રથમ વખત છે કે આ પ્રકારની ચૂંટણી લડવામાં આવી રહી છે.