પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાઇ હતી. નીતિ આયોગની પાંચમી બેઠકમાં પીએમ મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને 2024 સુધી 5 ટ્રિલિયન ડૉલર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે આ પડકારરૂપ છે, પરંતુ આને હાંસલ કરી શકાય છે. પીએમ મોદીએ કહ્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્રને પૂરો કરવામાં નીતિ આયોગની મહત્વની ભૂમિકા છે. આવક અને રોજગારી વધારવા માટે નિકાસ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે, રાજ્યોને નિકાસ પ્રોત્સાહન પર ધ્યાન આપવું જોઇએ.
નીતિ આયગોની ગવર્નિંગ કાઉન્સિલની શરૂઆતની બેઠકને સંબોધિત કરતા પીએમ મોદીએ વર્ષ 2014 સુધી દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલર એટલે કે 34,93,000 કરોડ રૂપિયા સુધી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પીએમએ રાજ્યના મુખ્યમંત્રીઓને સંબોધિક કરતા કહ્યું કે લક્ષ્ય પડકાર રૂપ ભલે હોય, પરંતુ રાજ્ય સરકારોની મહેતનથી હાંસલ કરી શકાય છે.
The goal to make India a 5 trillion dollar economy by 2024, is challenging, but can surely be achieved. States should recognise their core competence & work towards raising GDP targets right from the district level: PM @narendramodi, delivering the opening remarks at #FifthGCMpic.twitter.com/pLLvny8Xel
પીએમએ કહ્યું કે રાજ્યોએ પોતાની આર્થિક ક્ષમતા ઓળખવી પડશે અને જીડીપી ટારગેટ વધારવા પર જોર આપવું પડશે, તેમણે કહ્યું કે આના માટે જિલ્લાસ્તરે કામ કરવાની જરૂર છે.
પીએમએ કહ્યું કે આવક અને રોજગાર વધારવાના સાધનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે નિકાસ ક્ષેત્ર નોકરીઓ અને કમાણી વધારવા માટે મહત્વપૂર્ણ છે.