નવા ચહેરાઓની એન્ટ્રી બાદથી મોદી સરકારનું કદ વધ્યું છે ત્યારે એવામાં આખા મંત્રીમંડળને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે.
મોદી સરકારે હાલમાં જ કર્યું હતું કેબિનેટ વિસ્તરણ
મોદી સરકારના 42 ટકા મંત્રીઓ સામે કેસ : રિપોર્ટ
90% મંત્રીઓ છે કરોડપતિ : રિપોર્ટ
સરકારનું વધ્યું કદ
2014માં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવી અને ત્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર છે ત્યારે હાલમાં જ તેમની સરકારમાં કરવામાં આવેલ કેબિનેટના વિસ્તરણ બાદ ઘણા બધા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. નવા ચહેરાઓની એન્ટ્રી બાદથી મોદી સરકારનું કદ વધ્યું છે ત્યારે એવામાં આખા મંત્રીમંડળને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે.
ચાર મંત્રીઓ સામે તો હત્યા અથવા હત્યાના પ્રયાસ જેવા ગંભીર કેસ
ADRની એક રિપોર્ટ અનુસાર મોદી સરકારના 78 મંત્રીઓમાંથી 42 ટકા મંત્રીઓ સામે આપરાધિક મામલા એટલે કેસ દાખલ થયેલા છે. આટલું જ નહીં ચાર મંત્રીઓ સામે તો હત્યાના પ્રયાસ સંબંધિત ફરિયાદ છે.
કોણ છે એ ચાર મંત્રીઓ?
ADRના રિપોર્ટ અનુસાર 24 મંત્રીઓ સામે હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ સહિતના ગંભીર આપરાધિક કેસની જાહેરાત કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહના નવા ડેપ્યુટી એટલે કે નવા ગૃહરાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિકે ચૂંટણી ફોર્મમાં સ્વીકાર્યું છે કે તેમની સામે હત્યાથી જોડાયેલા મામલા છે. જૉન બારલા, પ્રામાણિક, પંકજ ચૌધરી અને મુરલીધરન સામે આ પ્રકારના કેસ છે.
કરોડપતિઓ પણ ઓછા નથી!
આ સિવાય સંપત્તિને લઈને રિપોર્ટ અનુસાર દાવો છે કે મોદી સરકારના 70 મંત્રીઓ કરોડપતિ છે. જો સરેરાશ કાઢીએ તો બધા મંત્રીઓના ભાગે 16 કરોડથી વધારે સંપત્તિ છે. ચાર મંત્રીઓ એવા છે કે જેમની પાસે 50 કરોડથી વધારે સંપત્તિ છે જેમાં સિંધિયા, પીયૂષ ગોયલ, નારાયણ રાણે, રાજીવ ચંદ્રશેખરનો સમાવેશ થાય છે.
પ્રતિમા ભૌમિક પાસે સૌથી ઓછી સંપત્તિ
નોંધનીય છે કે આઠ મંત્રીઓ એવા પણ છે જેમની સંપત્તિ એક કરોડ કરતાં પણ ઓછી છે. આ મંત્રીઓમાં પ્રતિમા ભૌમિક, જોન બારલા, કૈલાશ ચૌધરી, ટૂડુ, મુરલીધરણ, રામેશ્વર તેલી, શાંતનુ ઠાકુર અને નિશીથ પ્રમાણિક સામેલ છે. પ્રતિમા ભૌમિક પાસે છ લાખની સંપત્તિ છે જે બધા કરતાં સૌથી ઓછી છે.