વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. પીએમ નરેન્દ્ર મોદી સરદાર સરોવર ડેમ પહોંચ્યાં છે. જયાં સફારી પાર્કનું નિરીક્ષણ કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ રિવર રાફ્ટિંગ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું, રાજ્યપાલ, સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ હાજર રહ્યાં છે.
રાજભવનથી પીએમ મોદી સીધા નર્મદા કેવડિયા પહોંચ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ
પીએમ મોદી નર્મદા ખાતે જંગી જાહેર સભાને સંબોધશે
PM મોદીએ ગાર્ડનમાં ઉડાવ્યા પતંગીયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદાની મુલાકાતે પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમણે જંગલ, સફારી, બટરફલાય ગાર્ડન અને કેકટસ ગાર્ડનની મુલાકાત લીધી હતી. જંગલ સફારીમાં તેમણે જાણકારી મળી હતી. ત્યારબાદ કેક્ટસ ગાર્ડનમાં તમામ પ્રકારની અલગ-અલગ પ્રકારના થોર વિશે જાણકારી મેળવી હતી. જો કે ત્યારબાદ પીએમ મોદીએ બટરફલાય ગાર્ડનમાં પતંગીયા ઉડાવ્યાં હતા.
પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદી જો કે દર વખતે માતા હીરાબાના આશીર્વાદ લીધા બાદ પોતાના કાર્યક્રમની શરૂઆત કરતાં હોય છે. પરંતુ આ વખતે તેઓ ગાંધીનગર રાજભવનથી સીધા નર્મદા કેવડિયા પહોંચ્યા હતા.
Gujarat: Prime Minister Narendra Modi visits Khalvani Eco-Tourism site in Kevadiya, Narmada district. pic.twitter.com/gQKVqbhvtO
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ત્યારે હાલ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે. જ્યારે બીજી તરફ નર્મદા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ત્યારે વહેલી સવારે PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા હતા. જ્યાં PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Gujarat: Prime Minister Narendra Modi arrives in Kevadiya in Narmada district. He will be visiting Sardar Sarovar Dam shortly. pic.twitter.com/oD7vn6qIK6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ગુજરાતની બે દિવસની મુલાકાતે ગઇકાલે આવી પહોંચ્યાં હતા. આજે 17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે. પીએમ મોદીએ આજે સરદાર સરોવર ડેમની મુલાકાતે છે. નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક 138 મીટરને પાર કરી ગઇ છે.
PM મોદી નર્મદા ખાતે જંગી જાહેર સભા સંબોધશે
પીએમ મોદી વ્યૂ પોઇન્ટ નંબર-1 પરથી જાહેરસભાને સંબોધશે. જેના માટે 450x150 મીટરનો વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાંથી જનમેદની ઉમટી પડશે. તો નર્મદાના 10 હજાર લોકો જાહેર સભામાં હાજર રહેશે. બપોર 12 સુધી નર્મદા ડેમ પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રહેશે. જો કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવેશ ચાલુ રહેશે. પ્રવાસીઓ સભામાં ભાગ લઇ શકશે. સભાને સંબોધન કર્યા બાદ તેઓ વડોદરા જવા રવાના થશે.