કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC) ની બેઠકમાં ઠરાવ પસાર કરાયો કે પ્રધાનમંત્રી મોદીએ હેલ્થ એક્સપર્ટ્સની સલાહ માની હોત તો બીજી લહેર અટકી ગઈ હોત.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મોટા ઠરાવ પસાર કરાયા
ભૂલો બદલ પ્રાયશ્ચિત કરે પ્રધાનમંત્રી મોદી-સીડબલ્યુસી
કેન્દ્ર સરકારે હેલ્થ નિષ્ણાંતોની સલાહની અવગણી
મોદી સરકારે કોરોનાના આંકડા છુપાવ્યાં-સીડબલ્યુસી
CWC ની બેઠકમાં કોરોનાની બીજી લહેરને મોદી સરકારની ઉદાસિનતા, અસંવેદનશીલતા, અક્ષમતા તરીકે ગણાવવામાં આવી.બેઠકમાં કહેવાયું કે પ્રધાનમંત્રીએ પોતાની ભૂલો બદલ પ્રાયશ્ચિત કરવું જોઈએ.
CWCના ઠરાવમા કહેવાયું કે કેન્દ્ર સરકારની અવગણના, મહામારી પર જીતની કસમય પહેલાની જાહેરાત અને ચેતવણી છતાં યોજના બનાવવામાં અસમર્થતાનું પ્રત્યક્ષ પરિણામ છે. ફક્ત હેલ્થ એક્સપર્ટ્સે જ નહીં પરંતુ સંસદની સ્થાયી કમિટીએ પણ અનેક વાર ચેતવણીઓ આપી હતી. પ્રધાનમંત્રીએ પોતાની ભૂલો બદલ પ્રાયશ્ચિત કરવું જોઈએ.
મોદી સરકાર હકીકત છૂપાવી રહી છે- CWC
CWC ના ઠરાવમાં એવું પણ કહેવાયું કે મોદી સરકાર હકીકત છૂપાવી રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પીએમ મોદીને પત્ર લખીને પાંચ સૂચનો કર્યાં હતા. પરંતુ સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન દ્વારા અશોભનીય જવાબ આપવામાં આવ્યો. કોરોનાથી થનાર મોતના આંકડા તદ્દન ખોટા છે અને ઘણા મોતનો સામેલ કરાયા નથી.
કોરોના મુદ્દે સોનિયા ગાંધી બોલ્યા કે "મોદી સરકાર કોરોના મામલે સાવ નિષ્ફળ ગઈ છે." સરકારે કોરોનાને ધ્યાનમાં રાખી બધા જ પક્ષોની બેઠક બોલાવી જોઈએ તેવો પણ પ્રસ્તાવ મૂક્યો. સાથે જ કોરોના મહામારી કોંગ્રેસ પાર્ટીનાં દરેક કાર્યકર્તા નાગરિકોની પૂરતી મદદ કરે તેવી સલાહ પણ આપી.
કોરોનાને કારણએ કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી મોકૂફ
એક પછી એક હાર શા માટે મળી રહી છે તે જાણવા માટે એક સમિતિ પણ બનાવી કોંગ્રેસ સત્તામાંથી કેમ પાછળ હટી રહ્યું છે તે જાણવા માટે તેમણે એક સમિતિ બનાવી જલ્દી રિપોર્ટ જણાવે તેવી માંગ કરી હતી. "આસામ અને કેરેલાની હાર, સાથે જ પશ્ચિમ બંગાળમાં એક પણ સીટ નાં મળવી એ ખૂબ જ નિરાશાજનક છે " તેવું તેમણે ઉમેર્યું. નવા કોંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવા માટે એક શિડ્યુલ નક્કી કરવામાં આવે અને સારી રીતે પ્રક્રિયા પૂરી થાય તે અંગે માહિતી પણ આપી.