સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીએ શુક્રવારે પોતાના સંબોધનમાં દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ દેશની સેવામાં લાગેલા યોદ્ધાઓને સલામ કરે. તેના માટે લોકો રવિવારે રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી દીપ પ્રગટાવે. ત્યારે ગુજરાતમાં પણ લોકોએ દીપ પ્રગટાવ્યા હતા.
પ્રધાનમંત્રીએ 9 વાગ્યે દીપ પ્રાગટ્ય કરવાની કરી હતી અપીલ
પ્રધાનમંત્રીના માતા હિરાબાએ પણ કર્યું દીપ પ્રાગટ્ય
પ્રધાનમંત્રીએ પણ દીવો પ્રગટાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર સમગ્ર દેશવાસીઓની સાથો સાથ તેમની માતા હિરાબાએ પણ ગાંધીનગરના પોતાના નિવાસસ્થાને દીપ પ્રગટાવ્યો હતો. પીએમ મોદીની માતાનો એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ એક થાળીમાં દીવડો પ્રગટાવીને ખુરશી પર બેઠા છે. આ પહેલા 22 માર્ચે જનતા કર્ફ્યૂના દિવસે પણ તેમનો ફોટો સામે આવ્યો હતો. જેમાં તેઓ થાળી અને ચમચી વગાડતા દેખાયા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 5, 2020
પ્રધાનમંત્રી મોદીએ પણ દીપ પ્રાગટ્ય કર્યું
પ્રધાનમંત્રીએ એક શ્લોક સાથે કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તેઓ દીપ પ્રાગટ્ય કરતા નજરે પડે છે. જેના કેપ્શનમાં એક શ્લોક લખ્યો છે જેમાં લખ્યું છે 'शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा । शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥'.
#WATCH Delhi: PM Narendra Modi lights a lamp after turning off all lights at his residence. India switched off all the lights for 9 minutes at 9 PM today & just lit a candle, 'diya', or flashlight, to mark India's fight against #Coronavirus as per his appeal. pic.twitter.com/9PVHDlOARw