વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ મેટ્રોના ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરીને ગુજરાતને એક વધુ ભેટ આપી છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિતાશાહ, CM રૂપાણી સહિતના નેતાઓ પણ જોડાયા હતા.
વીડિયો કોંફ્રેન્સિંગ દ્વારા સવારના 11:00 વાગ્યે આ પ્રોગ્રામ યોજાયો છે
વડાપ્રધાન મોદીએ કહ્યું, કોરોનાકાળ દરમિયાન પણ 17 હજાર કરોડથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થઈ રહ્યું છે. અમદાવાદ- સુરત ગુજરાતનું આત્મનિર્ભતાનું પ્રતિક છે. આ મેટ્રો પ્રોજેક્ટ અમદાવાર-સુરતમાં કનેક્ટિવિટીનું કામ કરશે. સુરત એકભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ છે. અને સુરત વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર છે. ગુજરાતમાં આયુષ્માન ભારત થતી 21 લાખ લોકોએ મફત સારવારનો લાભ લીધો છે. સાથે 35 હજારથી વધુ શૌચાલય બન્યા છે. ત્યારે હવે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચી રહ્યું છે.
ગાંધીનગરના મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાશે. ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર રહેશે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટનો બીજો તબક્કાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં મોટેરાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ દોડશે.
હાલ અમદાવાદ ખાતે પ્રથમ તબક્કો વસ્ત્રાલથી મોટેરા સુધીનો પૂર્ણતાને આરે જોવા મળી રહ્યો છે. બીજા તબક્કો અંદાજે 5553 કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવશે. બીજા તબક્કામાં 22.8 કિમીનો રુટ તૈયાર કરાશે. જેમાં 20 જેટલા એલિવેટડ સ્ટેશનો તૈયાર કરવામાં આવશે.
20 વર્ષ બાદ સુરતનું સપનું થશે સાકાર
આજે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાતમુહૂર્ત કરશે. આમ સુરતવાસીઓ જેની ઘણા વર્ષોથી આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા તે સપનું હવે સાકાર થવા જઇ રહ્યું છે.
PM નરેન્દ્ર મોદી દિલ્હીથી ડિજીટલ માધ્યમથી ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે. સુરત ખાતે 12 હજાર કરોડના ખર્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ કરાશે. જેમાં 21 કિમીનો રુટ તૈયાર કરવામાં આવશે.
સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અંગેની જાણકારી
સરથાણાથી ડ્રિમ સિટી 21. કિ.મીનો મેટ્રો ટ્રેન રૂટ તૈયાર કરાશે
20 જેટલા સ્ટેશનોનું નિર્માણ કરાશે
ખજોડના ડાયમંડ બુર્સથી ફેઝ-1નું કામ શરૂ થશે
ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિમી કામ કરાશે
રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિમીનું કામ શરૂ કરાશે
2023 સુધીમાં ફેઝ-1નું કામ પૂર્ણ કરાશે
દરેક રૂટ પર 4 મેટ્રો ટ્રેન દોડશે
દરેક ટ્રેન 3-3 કોચની હશે
ટ્રેનની એવરેજ સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની હશે
વધુમાં વધુ 90 કિમી પ્રતિ કલાકની સ્પીડ રહેશે
એક કોચમાં 136 સીટ હશે, મુસાફરોની કુલ ક્ષમતા 764ની રહેશે