શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)માં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા છે. અહીં તેમણે અન્ય રાષ્ટ્રોના વડા સાથે મુલાકાત યોજી હતી. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તથા કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સૂરોનબે જીનબેકોવનું નામ પણ સામેલ છે. જેમાં સૌ પ્રથમ પ્રધાનમંત્રી મોદી SCO માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા.
પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ શક્ય જ્યારે...
FS,Vijay Gokhale in Bishkek: There was a brief discussion on Pakistan. PM recalled that he has made efforts and these efforts have been derailed,that Pak needs to create atmosphere free of terror and at this stage we do not see this happening. We expect it to take concrete action https://t.co/0W17RFFYjL
આ મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ એક્શન નથી લેતું, ત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત નહીં થાય. આપને જણાવી દઇએ તે પ્રધાનમંત્રી મોદી તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન પદે ફરી વખત ચૂંટાઈ આવ્યા છે. ત્યાર પછીની બંન્ને નેતાઓ વચ્ચે પ્રથમ મુલાકાત છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ રૂપથી રાષ્ટ્રપતિ જીનપિંગને વિવિધ મામલે અવગત કરાવ્યા અને સહમતિ વ્યક્ત કરી કે, બંને પક્ષોના સંબંધમાં આશા વધારવાની જરૂરત છે. આ સાથે તેમણે અગામી અનોપચારિક શિખર સમ્મેલન માટે શી જિનપિંગનું સ્વાગત પણ કર્યું હતું.
Had an extremely fruitful meeting with President Xi Jinping. Our talks included the full spectrum of India-China relations.
We shall continue working together to improve economic and cultural ties between our nations. pic.twitter.com/JIPNS502I3
જીનપિંગે પ્રધાનમંત્રી મોદીને આપી શુભેચ્છા
બેઠકની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જીનપિંગે પ્રધાનમંત્રી મોદીને તાજેતરમાં થયેલ જીત અંગે અભિનંદન આપ્યા હતા. જેના પ્રત્યુત્તર રૂપે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારતની ચૂંટણીના પરિણામ બાદ આપનો સંદેશ પ્રાપ્ત થયો હતો અને આજે ફરી એકવાર આપ જીતની શુભેચ્છા પાઠવો છો હું આપનો આભારી છું. શી જિનપિંગે ગત મહિને યોજાયેલ લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીત બદલ શુભેચ્છા પાઠવી હતી.