વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓના અમેરિકા પ્રવાસ દરમિયાન ગુરુવારે ઑસ્ટ્રેલિયન પ્રધાનમંતત્રી સ્કોટ મોરિસને મળ્યા હતા. તેમણે શું ચર્ચા કરી એ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઑસ્ટ્રેલિયન પ્રધાનમંતત્રી સ્કોટ મોરિસને મળ્યા હતા. આ મિટિંગ ક્વાડ સંમેલન અગાઉ યોજાઇ હતી અને તેમણે કેટલાક મહત્વના મુદ્દે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રી મોદી અને મોરિસન વચ્ચે એકાદ અઠવાડિયા અગાઉ ફોન પર વાત થઈ હતી અને હવે તેઓ રૂબરૂ મળ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ મામલે પ્રગતિ કરવા માટે બંને દેશો ઉત્સુક છે. તાજેતરમાં 2+2 મંત્રણા પણ થઈ હતી અને તેમણે પોતાના મંતવ્યો તેમજ વિચારો રજૂ કર્યા હતા.
It is always wonderful to interact with my good friend, PM @ScottMorrisonMP. We had wide-ranging deliberations on strengthening cooperation in the fields of commerce, trade, energy and more. pic.twitter.com/rRkNxNc8Nr
આ મિટિંગ તેઓ વચ્ચે મહામારી પછી યોજાયેલી પ્રથમ રૂબરૂ મિટિંગ હતી. બે દેશોના અગ્રિમ નેતાઓએ અગાઉ વર્ચ્યુઅલ મિટિંગ કરી હતી.
ક્વાડ સંમેલન
ક્વાડમાં ભારત જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલીયા જેવા દેશો છે.
અમેરિકન પ્રેસિડેન્ટ બઈડેન પ્રથમ ક્વાડ સંમેલનનુ યજમાન પદે સ્થાન શોભાવ્યું હતું. ફ્રાંસ તેની બાદબાકીના કારણે નારાજ થયું હતું તો ચીને પણ આ ભાગીદારી સામે નારાજગી દર્શાવી હતી.
જાપાનના વડાપ્રધાન સાથે મિટિંગ
પ્રધાનમંત્રી મોદી આજે જાપાનના તેમના સમકક્ષ યોશીહીદે સુગાને પણ મળ્યા હતા. બંને દેશો વચ્ચે સંબંધો વધે અને મજબૂત બને એ માટે તેમણે પણ ચર્ચા કરી હતી. નવી ભાગીદારી નોંધવા ઉપરાંત ભારતમાં ઉત્પાદન વધે અને સ્કિલ ડેવલપમેન્ટ થાય તે માટે બંને દેશો પ્રયત્નશીલ થાય તેવી સમજૂતી પણ થઈ હતી.
પ્રધાનમંત્રી મોદીએ જાપાનના ઓલિમ્પિક આયોજનના વખાણ કર્યા હતા અને સાથે તેમણે અફઘાનિસ્તાનમાં ક્રાઇસીસનો મુદ્દો પણ સાંકળી લીધો હતો.
અગાઉ જાપાનીઝ લીડર સાથે પ્રધાનમંત્રી મોદી એપ્રિલ મહિનામાં ફોન પર વાત કરી ચૂક્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે અમે બંને દેશો વચ્ચે ભાગીદારી બાબતે સકારાત્મક ભાગીદારી નોંધાય તેવા આદેશો જારી કર્યા હતા અને ક્ષેત્રીય ભાગીદારીને લઈને પણ સંરક્ષણ જેવી બાબતો પર ચર્ચા કરી હતી.
Japan is one of India’s most valued partners. I had an excellent meeting with PM @sugawitter on a variety of subjects that would further boost cooperation between our nations. A strong India-Japan friendship augurs well for the entire planet. pic.twitter.com/5N9ibqWDzy
"પ્રધાનમંત્રી સુગા અને હું પણ માનું છું કે આ કોવિડ -19 રોગચાળાના કટોકટી દરમિયાન, ભારત-જાપાની મિત્રતા અને અમારી ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે વધુ સજ્જ બની છે. આજે જ્યારે આપણે અનેક વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે તે સમયની જરૂરિયાત છે કે આપણી મિત્રતા અને સંબંધો દિવસે ને દિવસે મજબૂત થાય, ”મોદીએ કહ્યું હતું.
તેમણે કહ્યું કે કાઈઝન એકેડેમીની સ્થાપના જેવા પ્રયાસો આ સંબંધનું સુંદર પ્રતિબિંબ છે.
મોદીએ કહ્યું કે ઝેન ગાર્ડન અને કાઈઝન એકેડેમીનું લોન્ચિંગ "ભારત-જાપાન સંબંધોની સહજતા અને આધુનિકતાનું પ્રતીક છે".
ભારતમાં સૂગા એપ્રિલ મહિનામાં આવવાના હતા પરંતુ કોરોનાનાં કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં તેઓ આવી શક્ય નહોતા.