પીએમ મોદીએ ગુજરાત કલોલમાં જનસભાને સંબોધિત કરી હતી. ગુજરાતમાં પીએમ મોદીએ ગુરૂવારે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનાં રાવણવાળા નિવેદનનો જવાબ આપ્યો હતો.
ખડગેની ટિપ્પણીનો આપ્યો પીએમ મોદીએ જવાબ
કલોલમાં જનસભાને સંબોધિત કરતાં કર્યાં પ્રહારો
કોઇ રાવણ કહે છે તો કોઇ કોકરોચ કહે છે- પીએમ
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેનાં પહેલા ચરણની વોટિંગ સમાપ્ત થઇ છે. આ દરમિયાન બીજાં ચરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી રેલી કરી રહ્યાં છે. ગુરૂવારે પીએમ મોદીએ ગુજરાત કલોકમાં જનસભાનું સંબોધન કર્યું હતું. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગેની રાવણવાળી ટિપ્પણીનો જવાબ આપતાં પીએમ એ કહ્યું કે કોંગ્રેસમાં મને ગાળો આપવાની રેસ લાગી છે. જેટલો વધુ કાદવ ઉછાળવામાં આવશે તેટલા જ વધારે કમળ ખિલશે.
મલ્લિકાર્જુને સુરતમાં પીએમ મોદી પર કરી ટિપ્પણી
થોડાં દિવસો પહેલાં સુરતમાં જનસભાને સંબોધિત કરતાં સમયે મલ્લિાકાર્જુને પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી. તેવામાં પલટવાર કરતાં મોદીએ કહ્યું કે 'કોંગ્રેસ ભગવાન રામનાં અસ્તિત્વ અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં વિશ્વાસ રાખતાં નથી. આ લોકો તો રામસેતુનાં પણ વિરોધી છે. પરંતુ મને ગાળો આપવા માટે રામાયણનાં પાત્ર રાવણનો ઉલ્લેખ જરૂરથી કરે છે.'
કોઇ રાવણ કહે છે તો કોઇ કોકરોચ કહે છે- પીએમ
પીએમ મોદીએ આગળ કહ્યું કે કેટલાક દિવસો પહેલાં કોંગ્રેસનાં જ એક નેતાએ કહ્યું કે 'મોદી કૂતરાંની મોત મરશે. બીજા એ કહ્યું હતું કે મોદી હિટલરની મોત મરશે. અને કોઇ બોલ્યું કે જો મને મોકો મળ્યો તો હું ખુદ મોદીને મારી નાખીશ... કોઇ રાવણ કહે છે , કોઇ રાક્ષસ કહે છે તો કોઇ કોકરોચ કહે છે.'
ખડગેનું નિવેદન
અમદાવાદનાં બહેરામપુર ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં ભાજપ દ્વારા નગર નિગમ અને વિધાનસભા સુધીની ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીનાં નામ પર વોટ માંગવાને લઇને ખડગેએ ભાજપા પર પ્રહારો કર્યાં હતાં. કેમણે કહ્યું કે 'શું મોદી અહીંયા આવીને નગરપાલિકાનું કામ કરવાનાં છે? શું મોદી આવીને અહીં સમસ્યાઓમાં તમારી મદદ કરવાનાં છે? અરે તમે તો પ્રધાનમંત્રી છો. તમને કામ આપવામાં આવ્યું છે તે કામ કરો.'
શું તમે રાવણનું મુખ છો?- ખડગે
ખડગેએ કહ્યું હતું કે, 'તે (મોદી) બીજું છોડીને નગર નિગમની ચૂંટણી, એમ.એલ.એની ચૂંટણી, એમ.પીની ચૂંટણી ... કારણકે પ્રધાનમંત્રી બનવું છે તો ફરતાં રહે છે પરંતુ દરવખતે પોતાની જ વાત કરે છે. તમે કોઇકને પણ મત આપી જુઓ, મોદીને જોઇને વોટ આપો. ભાઇ..તમારો ચહેરો કેટલીવાર જોવાનો. નગર નિગમમાં પણ તમારો ચહેરો એમ.એલ.એમાં પણ તમારો ચહેરો, એમ.પી ઇલેક્શનમાં પણ તમારો ચહેરો..દરેક જગ્યાએ..કેટલા છે ભાઇ.. શું તમારાં રાવણ જેવાં 100 મુખ છે? શું છે મને સમજાતું નથી.'