મુંબઇ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની ખબર પૂછવા માટે રવિવારે લીલાવતી હોસ્પિટલ ગયા જ્યાં એમની જઠર બિમારીની સારવાર ચાલી રહી છે. પર્રિકરે 15 ફેબ્રુઆરીએ મુંબઇની આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પર્રિકર આ પહેલા મોદી મંત્રીમંડળમાં રક્ષામંત્રી હતા. હોસ્પિટલ પ્રશાસને રવિવારે સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી પર સારવારની અસર થઇ રહી છે.
આ પહેલા સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ગોવા એકમે શનિવારે એ મીડિયા રિપોર્ટને ફગાવી દીધા જેમાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરની મુંબઇ હોસ્પિટલમાં સર્જરીની સંભાવના દર્શાવવામાં આવતી હતી.
મુખ્યમંત્રી કાર્યાલયથી આપવામાં આવેલા નિવેદન અનુસાર 'મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં મુખ્યમંત્રીન3 જઠર પર સોજાની તપાસ કરવામાં આવી રહી છે અને એમને કોઇ પણ પ્રકારની સલાહ આપવામાં આવી નથી. એ 19 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા વિધાનસભા સત્રમાં સામેલ થશે.'
પર્રિકરને બુધવારે રાતે પેટમાં દુખાવાની ફરિયાદ બાદ રાજ્યની ગોવા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સારી સારવાર માટે એમને મુંબઉ લીલાવતી હોસ્પિટલ લાવવામાં આવ્યા.