મહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષને લઇ કલા અને સિનેમા જગતની દિગ્ગજ હસ્તિઓ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ આવાસ પર થયું હતું.
PM મોદીએ સિનેમા જગતની દિગ્ગજ હસ્તિઓ સાથે કરી મુલાકાત
આમિર ખાન, શાહરુખ ખાન, કંગના રણૌતે પણ હાજરી આપી
ગાંધીજીથી જોડાયેલા કાર્યક્રમોને લઇ પોતાના મંતવ્ય જણાવ્યા
આ કાર્યક્રમમાં અભિનેતા અમિર ખાન, શાહરુખ ખાન, આનંદ એલ રાય, કંગના રણૌત, જેકલીન ફર્નાન્ડિઝ, રાજકુમાર હિરાની, એકતા કપૂર, સોનમ કપૂર અને છન્નૂ લાલ મિશ્રા સહિતની હસ્તિઓ હાજર રહી હતી. આ દરમિયાન ગાંધીજીથી જોડાયેલા કાર્યક્રમમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
Office of the Prime Minister: PM Modi is interacting with members of the creative & entertainment world on ways to mark 150th birth anniversary of Mahatma Gandhi. The interaction is being held at 7, Lok Kalyan Marg, New Delhi. pic.twitter.com/7QI4P0Q2KH
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ગાંધીજીના વિચાર સાદગીનો પર્યાય છે. મહાત્મા ગાંધીના વિચાર વ્યાપક છે. તેમણે કહ્યું કે રચનાત્મકતાની શક્તિ અપાર છે અને આપણા દેશ માટે રચનાત્મકતાની આ ભાવનાનો ઉપયોગ આવશ્યક છે. જ્યારે મહાત્મા ગાંધીએ આદર્શોને લોકપ્રિય બનાવવાની વાત આવી તો ફિલ્મ અને ટેલીવિઝનની દુનિયાના કેટલાક લોકોને શાનદાર કામ કર્યું. સાથે જ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કલાકારોને દાંડીમાં બનેલા મ્યૂઝિયમની મુલાકાત લેવાની અપીલ કરી હતી. ઉપરાંત પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પણ જવા કહ્યું હતું.