અફઘાનિસ્તાનમાંથી શિખો અને હિન્દુઓનું એક શિષ્ટમંડળ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન પર મુલાકાત કરવા પહોંચ્યું હતું. ભારતમાં મોટી સંખ્યામાં અફઘાન શિખો અને હિન્દુઓ રહે છે. જેમાનું એક પ્રતિનિધિમંડળ પીએમ મોદીના નિવાસ સ્થાને શિષ્ટાચાર ભેટ કરવા આવ્યા હતાં.
પીએમ મોદીના નિવાસ સ્થાને મળવા આવ્યા
પીએમ મોદીનો સીએએ માટે આભાર માન્યો
પીએમ મોદીને અફઘાની પાઘડી ભેટમાં આપી
અફઘાનિસ્તાનમાંથી શિખો અને હિન્દુઓનું એક શિષ્ટમંડળ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન પર મુલાકાત કરવા પહોંચ્યું હતું. ભારતમાં મોટી સંખ્યામાં અફઘાન શિખો અને હિન્દુઓ રહે છે. હાલમાં જ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર સત્તા પર કબ્જો કર્યા બાદ ભારત સરકારે તેમાંથી ઘણા લોકોને ત્યાંથી લાવ્યા છે. અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધાર પર ઉત્પીડન વેઠતા અલ્પસંખ્યકો પ્રત્યે મોદી સરકાર કેટલીય વાર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ તમામની વચ્ચે અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવેલા નિદાન સિંહ સચદેવાએ જણાવ્યું હતું કે, તેમનું તાલિબાને અપહરણ કરી લીધું હતું.
પીએમ મોદીનો આભાર માન્યો
તેમણે કહ્યું કે, મને એક ગુરૂદ્વારમાંથી તાલિબાને અપહરણ કરી લીધું હતું. તેમને અમે ભારતીય જાસૂસ તરીકે માનતા હતા. તેઓ ઈચ્છતા હતા કે, અમે કન્વર્ટ થઈ જઈએ. અમે પીએમ મોદીનો આભાર માન્યો અને ભારતની મદદથી ખુશ છીએ. અમને બસ આશ્રય અને રાષ્ટ્રીયતાની જરૂર છે. ભારતમાં 1989માં શિફ્ટ થનારા અફઘાનિસ્તાન નિવાસી તરેન્દ્ર સિંહે કહ્યું કે, અમે પીએમ મોદીને કાબુલમાં અમારી હાલતથી અવગત કરાવ્યા છે. અમારી મુખ્ય સમસ્યા નાગરિક બનવાની હતી. અમે અમારી નાગરિકતા માટે આમતેમ ભટકતા રહ્યા. એટલા માટે અમે સીએએ લાવવા માટે પીએમ મોદીનો આભાર માન્યો અને એક નાગરિકતા જોઈએ.
"I was kidnapped by the Taliban from a gurudwara. They thought of us as Indian spies, wanted us to convert... We thanked PM Modi & are happy with the help of Govt of India. We just need shelter & nationality," said Nidan Singh Sachdeva, who came from Kabul, Afghanistan last year pic.twitter.com/1nPeAKi0Vv
દેશમાં ખાલી પીએમ એકલા જ છે, જે મુશ્કેલીમાં સૌથી આગળ હોય છે
સિખ પ્રતિનિધિમંડળે સીએએ માટે કેન્દ્ર સરકારના વખાણ કરતા કહ્યું કે, તેણે અફઘાન શરણાર્થીઓને આશ્રય આપ્યું છે. પીએમ મોદીએ પ્રતિનિધિમંડળને કહ્યું કે, ભારત તેમનું ઘર છે. પીએમે બેઠક દરમિયાન કહ્યું કે, ભારત આપનું ઘર છે. આપ અમારા માટે મહેમાન નથી. અને દરેક ભારતીય આપના પ્રત્યે સમાન પ્રેમ અને સન્માન રાખે છે. એક સભ્યએ વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે, ફક્ત આપ (પીએમ મોદી) જ દેશભરમાં રહેતા ભારતીયો અને શિખોના દુ:ખને સમજી શકો છો. જ્યાં પણ કોઈ સમસ્યા હોય, હું જોવુ છું કે આપ આગળ જ હોવ છો.
સિખ પ્રતિનિધિમંડળે પીએમ મોદીને અફઘાની પાઘડી ભેંટ કરી
પ્રતિનિધિમંડળના સભ્યોએ પાડોશી દક્ષિણ એશિયાઈ દેશોમાં અલ્પસંખ્યકોને ભારતીય નાગરિકતા લેવાની અનુમતી આપવા માટે અલગ અલગ પગલા ઉઠાવવા માટે પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ સાંભળતુ નહોતું, તો ફક્ત આપ હતા. જેમણે અમારી વાત સાંભળી. અફઘાન લોકો સીએએ દરમિયાન આપે જે લડાઈ લડી તેના માટે આભાર વ્યક્ત કરવા અહીં આવ્યા છીએ. અહીં આવેલા પ્રતિનિધિમંડળે પીએમ મોદીને અફઘાની પાઘડી પણ ભેટમાં આપી હતી.