ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમલમમાં કાર્યકર્તાઓ, સાંસદ, ધારાસભ્ય અને પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.
પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં કમલમમાં મળી હતી બેઠક
કમલમમાં કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રીએ કર્યો સંવાદ
આગામી વિધાનસભાની ચૂંટણી અંગે કમલમમાં થયું મંથન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા છે. પ્રધાનમંત્રીનો એરપોર્ટથી કમલમ સુધી 10 કિલોમીટર લાંબો રોડ શૉ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરાયું હતું. ભાજપ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રીએ રોડ શૉ પૂર્ણ કર્યા બાદ કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સાંસદો, ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત હતા. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પ્રધાનમંત્રી દ્વારા બેઠકમાં ઉપસ્થિત તમામને જીત માટેનો મોદી મંત્ર આપ્યો હતો. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જીત બાદ આ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ જીતનો ડંકો વગાડવા માટે પ્રધાનમંત્રી દ્વારા કાર્યકરોને કેટલીક ટીપ્સ પણ આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ ભાજપ કાર્યકર્તાઓને આપી કેટલીક ટીપ્સ
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતની વિધાનસભા 2022ની ચૂંટણી અંગે કમલમ ખાતે બેઠકમાં સાંસદ, ધારાસભ્યો અને સંગઠનનાં હોદેદારો મહત્વનું સૂચન કર્યુ હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, 2022 ચૂંટણી પહેલા નાગરિકો સૂચક વાત કરતા કહ્યું નાગરિકો સ્વપ્ન સાકર કરવાનું કામ કરવું જરૂરી છે. કાર્યકરો રાજનીતિ ચૂંટણીલક્ષી નહિ એક દ્રષ્ટિકોણ સાથે કરવી જોઈએ. કાર્યકરો ફરજ અને સહભાગિતા સમગ્ર વર્ષ વાઇઝ હોવી જોઈએ. લોકસંપર્ક વધે તેવા કાર્ય કાર્યકરો સતત કરવા જોઈએ. કાર્યકરો ટિફિન બેઠક અને અનેક કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં થાય તેબુ આયોજન કરવું જોઈએ. સમાજમાં વિભિન્ન ક્ષેત્રમા જોડાયેલા ડૉક્ટર,વકીલ અને સમાજીક અગ્રણીઓ પક્ષની વિચારધારા સાથે જોડાવા જોઈએ. દેશનું યોગદાન આપી શકે તેવા પ્રયત્નો કાર્યકરો હરહંમેશ કરવા જોઈએ. કાર્યકર અટલજી સરકાર વર્તમાન સરકાર સુધી કર્યો અંગે જ્ઞાન હોવું જરૂરી છે. છેલ્લા દસ વર્ષના કામો સતત લોકસંપર્કમાં રહેવું જોઈએ. ટેકનોલોજીના સતત ઉપયોગ કરવાની કાર્યકરો સલાહ આપી. વિવિધ રાજ્યોમાં વસતા સમુદાય સાથે સંમેલન અને સંવાદ કરવાનું PM કાર્યકરો સૂચન કર્યું.
કમલમ ખાતે સંવાદ કાર્યક્રમમાં તમામ કાર્યકરોને આકર્ષણનું કેન્દ્ર બનેલી ટોપી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી અને તમામ કાર્યકરોએ આ ખાસ ટોપી પહેરી હતી.
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું. pic.twitter.com/pO1gOEAlm2