CBSEની બોર્ડની પરીક્ષાઓ મુદ્દે પીએમ મોદીએ આજે જ તાબડતોબ બેઠક બોલાવી છે જેમાં શિક્ષણમંત્રી સહિત અધિકારીઓ સામેલ થશે.
ધોરણ 10ની પરીક્ષા રદ કરી દેવાઈ
- ધોરણ 12ની પરીક્ષા જૂન મહિનામાં લેવાશે
- પીએમ મોદીની બેઠક બાદ લેવામાં આવ્યો નિર્ણય
PM મોદીએ લીધો મોટો નિર્ણય
CBSEની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ આ પરીક્ષા મુદ્દે મોટી બેઠક બોલાવી હતી જેમાં બોર્ડ અને સરકારના મોટા મોટા અધિકારીઓ તથા શિક્ષણ મંત્રી સામેલ થયા હતા. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવશે નહીં.
ધોરણ 12ની પરીક્ષા જૂનમાં, ધોરણ 10ના વિદ્યાર્થીઓ થઈ જશે પ્રમોટ
CBSEની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ આ પરીક્ષા મુદ્દે મોટી બેઠક બોલાવી હતી જેમાં બોર્ડ અને સરકારના મોટા મોટા અધિકારીઓ તથા શિક્ષણ મંત્રી સામેલ થયા હતા. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવશે નહીં. ધોરણ 12 માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે પહેલી જૂન બાદ પરિસ્થિતિને જોયા બાદ પરીક્ષા લેવામાં આવશે.
Students of Class 10 to be promoted on basis of internal assessment. If a student is not satisfied with the assessment then he/she can appear for the examination once the situation (#COVID19) is normal: Union Education Minister Ramesh Pokhriyal Nishank to ANI pic.twitter.com/B8okmzZowe
નોંધનીય છે કે આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે અને આજે તો કેસ એક લાખ 80 હજારને પાર થઈ ગયા છે. દરરોજ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે આ કાળા કહેર વચ્ચે પરીક્ષાઓ લેવા મુદ્દે સવાલ ઊભા થયા છે ત્યારે પીએમ મોદીએ આ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવાના છે.
મધ્ય પ્રદેશમાં મોકૂફ થઈ ગઈ પરીક્ષાઓ
મધ્ય પ્રદેશમાં પણ કોરોના વાયરસના કહેરના કારણે બોર્ડની પરીક્ષાઓને એક મહિના માટે મોકૂફ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતાં સતત ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
CBSEની પરીક્ષા પર ઉઠી રહી છે માંગ
કોરોના વાયરસની વધતી મહામારીના કારણે CBSE બોર્ડના ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પર ફરી ગ્રહણ લાગે તેવું દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને હવે રાજનેતાઓ દ્વારા આ મુદ્દે માંગ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં 30 એપ્રિલ સુધી શાળાઓ લોક
ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ વધતાં 30 એપ્રિલ સુધી શાળાઓ સહિતના દરેક શૈક્ષણિક સંસ્થાનોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં કરવામાં આવવાની છે જેમાં વાલીમંડળો દ્વારા માંગ કરવામાં આવી છે અત્યારે પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવે. આ સિવાય ધોરણ 10 અને 12 સિવાયના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવા માટે ઑલ વાલી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષાઓ મોકૂફ થઈ ગઈ
અન્ય રાજ્યોમાં પરીક્ષાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં ઉત્તરપ્રદેશમાં 24 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે અને મહારાષ્ટ્રમાં પણ બોર્ડની પરીક્ષાઓને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર જૂન મહિનામાં બોર્ડની પરીક્ષા લેવા માટે વિચાર કરી રહી છે.
PM to hold a meeting with Education Minister, Secretary & other important officials at 12 noon to discuss the issue of CBSE Board Exams: Govt of India Sources pic.twitter.com/GQuyfMuWft