મોદી કેબિનેટ મંત્રીમંડળમાં એસ.જયશંકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રિયમંત્રી એસ.જયશંકર મુદ્દે મોદી મોટો નિર્ણય લઈ શકે છે. જેમાં મોદી એસ. જયશંકરને ગુજરાતથી રાજ્યસભા લડાવી શકે છે. કોઇ પણ ચૂંટણી લડ્યા વગર જયશંકર વિદેશમંત્રી બન્યા છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાંથી બે રાજ્યસભાની સીટ ખાલી પડી છે. જેમાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની લોકસભામાં જીત થતા રાજ્યસભાની બે સીટ ખાલી પડી છે. જેને લઈને મોદી એસ. જયશંકરને ગુજરાતથી રાજ્યસભા લડાવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે, નરેન્દ્ર મોદીના અંગત લોકોમાં એસ. જયશંકરનો સમાવેશ થાય છે. અગાઉ અરુણ જેટલી અને સ્મૃતિ ઇરાની પણ ગુજરાતમાંથી સાંસદ બન્યા છે....