PM નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલ એમ બે દિવસ ગુજરાતના આંગણે છે. ત્યારે એકવાર ફરી તેઓ આગામી મહિને ગુજરાત આવી શકે છે.
ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં PM મોદી ગુજરાત આવી શકે
બહુચરાજીની આસપાસ વિશાળ સભા માટે જગ્યા શોધવાનું શરૂ
મંદિરના 200 કરોડના વિકાસ પ્લાનનું થઈ શકે છે લોકાર્પણ
ઓક્ટોબર મહિનામાં PM મોદીનો મહેસાણામાં કાર્યક્રમ યોજાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં PM મોદી ગુજરાત આવી શકે છે. હાલમાં બહુચરાજીની આસપાસ વિશાળ સભા માટે જગ્યા શોધવાનું શરૂ પણ કરી દેવાયું છે. PM મોદીના હસ્તે બહુચરાજી મંદિરના 200 કરોડના વિકાસ પ્લાનનું આગામી મહિને લોકાર્પણ થઈ શકે છે. મહેસાણાની દૂધસાગર ડેરીનો પાવડર પ્લાન્ટ અને બહુચરાજીના નવીન રેલવે સ્ટેશનનું PM મોદીના હસ્તે લોકાર્પણ થઇ શકે છે. એ સિવાય મોઢેરા સોલર પ્લાન્ટનું પણ લોકાર્પણ થઈ શકે છે. હાલમાં PM નરેન્દ્ર મોદીની વિશાળ જાહેરસભાના આયોજન માટે જગ્યા શોધવા પણ તંત્ર કામે લાગી ગયું છે.
19 ઓક્ટોબરે પણ રાજકોટમાં PM મોદીનો કાર્યક્રમ યોજાશે
વધુમાં જણાવી દઇએ કે, 19 ઓક્ટોબરના રોજ રાજકોટમાં પણ PM નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. રાજકોટમાં 19 ઓક્ટોબરે PM મોદી જાહેરસભાને સંબોધશે. રૂપિયા 5 હજાર કરોડના વિકાસકાર્યોનું PM મોદી લોકાર્પણ કરશે. આ અંગે PMના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પણ કરી દેવાઇ છે.
Gujarat | Prime Minister Narendra Modi lays the foundation stone and dedicate various projects worth more than Rs 3,400 crores in Surat pic.twitter.com/J1b8AarylK
મહત્વનું છે કે, PM મોદી આજે અને આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓએ આજે સુરતને રૂ. 3400 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપી છે. ત્યાર બાદ PM મોદી આજે ભાવનગરમાં પણ 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી કાર્યોનો PM શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરાશે. જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદીઓને પણ દિવાળી પૂર્વે PM મોદી મેટ્રો ટ્રેનની ભેટ આપશે.
In last 2 decades, we built around 80,000 homes for poor in Surat, uplifting their standard of living. Under Ayushman Bharat scheme, about 4 crore poor patients got free medical treatment in the country, of which over 32 lakh patients are from Gujarat & 1.25 lakh from Surat: PM pic.twitter.com/ufkPMLmUKW
છેલ્લા 2 દાયકામાં અમે સુરતમાં ગરીબો માટે લગભગ 80,000 ઘરો બાંધ્યા: PM મોદી
PM મોદીએ આજે સુરતમાં સંબોધન કરતા કહ્યું કે, 'છેલ્લા 2 દાયકામાં અમે સુરતમાં ગરીબો માટે લગભગ 80,000 ઘરો બાંધ્યા છે, તેમના જીવનધોરણમાં સુધારો કર્યો છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં લગભગ 4 કરોડ ગરીબ દર્દીઓને મફત તબીબી સારવાર મળી છે. જેમાંથી 32 લાખથી વધુ દર્દીઓ ગુજરાતના અને 1.25 લાખ સુરતના છે.'
Gujarat| It's my privilege to lay the foundation stone for infrastructure, sports & spiritual destinations in Gujarat during ongoing celebrations of #Navratri... Surat is a great example of 'Jan Bhagidari' &unity. People from across India live in Surat, it's a mini-India: PM Modi pic.twitter.com/qQCqMsghTu
PMએ કહ્યું કે, 'નવરાત્રીની ઉજવણી દરમિયાન ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ, રમતગમત અને આધ્યાત્મિક સ્થળોનો શિલાન્યાસ કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. સુરત એ 'જનભાગીદારી' અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. સુરતમાં ભારતભરના લોકો વસે છે, તે મિની-ઇન્ડિયા છે.'