ભરુચમાં અંકલેશ્વરમાં 8 લેન એક્સપ્રેસ વે બનીને તૈયાર, હવે લોકાર્પણ માટે ગણાઇ રહી છે ઘડીઓ, પીએમ મોદી ભરૂચ આવે તેવી શક્યતા
અંકલેશ્વર 8 લેન એક્સપ્રેસ-વે તૈયાર
PM મોદી આવી શકે છે લોકાર્પણ માટે
ગુજરાતનીઓને વધુ એક ભેટ મળશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવીને ગયા. ત્યારે મે મહિનામાં ફરી એકવાર તેઓ ગુજરાત આવી શકે છે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેમાં અમદાવાદ અને અંકલેશ્વરનો 8 લેન હાઇવે બનીને તૈયાર થઇ ગયો છે. આ હાઇવેને ટૂંક સમયમાં દેશ માટે સમર્પિત કરી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે બ્રિજના લોકાર્પણ માટે પીએમ મોદી આવી શકે તેવી શક્યતાઓ છે.
પીએમ મોદી આવી શકે છે ભરુચ
મહત્વનું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પણ ભરૂચ જિલ્લામાં તેઓનું આગમન લોકો માટે હંમેશા ભેગ સોગાદો ભરેલું રહ્યું છે. દહેજની OPAL કંપની હોય, નર્મદા નદી પરનો 4 લેન કેબલ સ્ટેઇડ બ્રિજ, ભાડભુત બેરેજ યોજના જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે PM ભરૂચ આવતા રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતની પ્રજાને 8 લેન હાઇવેની ખાસ ભેટ આપવા તેઓ ભરૂચ આવી શકે છે. પ્રધાનમંત્રી મોદી બીજા કાર્યકાળ દરમિયાન પહેલીવાર ભરૂચ આવી શકે છે. મહત્વનું છે કે વર્ષ 2017માં પીએમ તરીકેના પહેલા કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી ભરૂચ આવ્યા હતા.
8 લેન એક્સપ્રેસ-વેની શું છે વિશેષતા ?
વડોદરાથી મુંબઈ માત્ર સાડાત્રણ કલાકમાં પહોંચાશે
1380 કિ.મી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાંથી ગુજરાતમાં 423 કિ.મી.નો હાઇવે તૈયાર
98 હજાર કરોડના ખર્ચે તૈયાર થતો દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ-વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે