પીએમ મોદીના જન્મદિવસને માત્ર છ દિવસ બાકી છે અને જન્મદિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ભેટ આપવાનું શરૂ કરી દીધું છે. એનો સિલસિલો મોજી સરકારે 10 કરોડ પરિવારોને પાંચ લાખ સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ આપીને શરૂ પણ કરી દીધી છે. આટલું જ નહીં પીએમ મોદીએ જનધન ખાતાના ઓવરડ્રાફ્ટ ડબલ કરી દીધા છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પોતાની બર્થ ડે પર દેશવાસીઓ માટે ઘણી યોજનાઓ લાવવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ પર એ પટારો ખોલશે જેને વહેંચણીએ વર્ષ પહેલા જ કરી દે છે.
પીએમ મોદી લાવી શકે છે નવી યોજના
મજૂરો માટે મોદી સરકાર પહેલા જ મોટી યોજના લાવવાની વાત કહી ચુક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ અને વિશ્વકર્મા દિવસ એટલે કે 17 સપ્ટેમ્બરે ખુદ મજૂરો માટે નવી વેલફેર સ્કીમની શરૂઆત કરી શકે છે. સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ મજૂરોની સામાજિક સુરક્ષા સ્વાસ્થ્ય અને શિક્ષાનો મુદ્દો રદ કરવા માંગે છે. એવામાં 17 સપ્ટેમ્બરે પીએમની વર્ષગાંઠ પણ છે અને વિશ્વકર્મા દિવસ પણ તો મજૂરો માટે પીએમની નવી યોજનાની જાહેરાત પૂરી શક્યતા જોવા મળી રહી છે.
પીએમ મોદી આ યોજના હેઠળ મજૂરોને બાળકોના શિક્ષણ માટે 3000 રૂપિયા ખર્ચ આપી શકે છે. આઇટીઆઇ વોકેશનલ અથવા પ્રોફેશનલ કોર્સ માટે 12 હજાર રૂપિયા સુધીની મદદ મળશે. હાલના સામાજિક સુરક્ષા યોજનાઓમાં અડધું પ્રીમિયમ કેન્દ્ર સરકાર ભરશે. પ્રાકૃતિક મૃત્યુ પર 2 લાખ અને અપ્રાકૃતિક પર 4 લાખ રૂપિયાનો વીમો કવર પણ આપવામાં આવશે. મજૂરના પરિવાર માટે 5 વર્ષ સુધી વર્ષની સારવારનો ખર્ચ લેબર બોર્ડ ઊઠાવશે. મજૂરોના અસામયિક મૃત્યુ પર પત્ની અને આશ્રિતો માટે પેન્શનની વ્યવસ્થા હશે. આ યોજનામાં ગર્ભવતી મહિલા મજૂરને 26 સપ્તાહ સુધી ન્યૂનતમ મજૂરી આપવાની જોગવાઇ છે.
પીએમ મોદીએ પોતાની યોજનાઓનો પટારો ખોલવાનો શરૂ કરી દીધો છે એનો અંદાજો આ વાત પરથી જ લગાવી શકાય છે કે મોદી સરકારે 32 કરોડ જનધન ખાતામાં ઓવરડ્રાફ્ટ ફેસિલિટીને ડબલ કરી દીધી છે. સાથે જ ઇન્શ્યોરન્સની રકમ વધારીને 2 લાખ કરી દીધી છે.