વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. માહિતી મુજબ આબેના અંતિમ સંસ્કાર 27 સપ્ટેમ્બરે સરકારી સન્માન સાથે કરવામાં આવશે. મહત્વનું છે કે, શિન્ઝો આબે સાથે પીએમ મોદીના ગાઢ સંબંધ હતા. બંને વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુલાકાત દરમ્યાન જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળશે. આબેના અંતિમ સંસ્કાર ટોક્યોમાં થવાના છે. વિશ્વયુદ્ધ 2 પછી ભૂતપૂર્વ વડા પ્રધાનની આ બીજી સરકારી અંતિમવિધિ છે. અગાઉ 1967માં શિગેરુ યોશિદા માટે સરકારી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
8 જુલાઈએ શિન્ઝો આબેનું થયું હતું નિધન
મહત્વનું છે કે, ગયા મહિને 8 જુલાઈના રોજ જ્યારે શિન્ઝો આબે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. પરિવારની હાજરીમાં મંદિરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે તેમને રાજ્યકક્ષાએ વિદાય આપવામાં આવશે.
शिंजो आबे जी के निधन से जापान और विश्व ने एक महान विजनरी व्यक्तित्व को खो दिया है। मैंने भी अपना एक बहुत करीबी दोस्त खोया है।
अपने दोस्त शिंजो आबे जी को मेरी भावभीनी श्रद्धांजलि... https://t.co/s3nNy1Jim3
શિન્ઝો આબેના નિધન પર પીએમ મોદીએ તેમના મિત્રને વિશેષ શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, શિન્ઝો આબેના નિધનથી જાપાન અને વિશ્વએ એક મહાન સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિત્વ ગુમાવ્યું છે. મેં પણ મારો એક ખૂબ જ નજીકનો મિત્ર ગુમાવ્યો છે. મારા મિત્ર શિન્ઝો આબે જીને મારી હ્રદયપૂર્વકની શ્રદ્ધાંજલિ… PM એ લખ્યું કે શિન્ઝો આબે માત્ર જાપાનની મહાન વ્યક્તિ જ નહીં, પરંતુ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા વૈશ્વિક રાજકારણી હતા. તેઓ ભારત-જાપાની મિત્રતાના મહાન સમર્થક હતા. તે ખૂબ જ દુઃખની વાત છે કે તે હવે આપણી વચ્ચે નથી. તેમની અકાળ વિદાયને કારણે જાપાનની સાથે સમગ્ર વિશ્વએ એક મહાન સ્વપ્નદ્રષ્ટા નેતા ગુમાવ્યા છે, ત્યારે મેં મારા એક પ્રિય મિત્રને ગુમાવ્યો છે.