વડોદરામાં PM મોદીનો પ્રચંડ પ્રચાર, 'કોંગ્રેસના સમયમાં પોરબંદરની જેલને તાળા મારવા પડ્યા હતા
વડોદરામાં PM મોદીના પ્રચંડ પ્રચાર
પાવાગઢને મુસ્લિમ આક્રાંતાઓએ તોડ્યું હતું:PM
કોંગ્રેસના સમયમાં પોરબંદરની જેલને તાળા મારવા પડ્યા હતા:PM
વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી ગઈ છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાળ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ વિવિધ જનસભાઓ કરી પ્રચાર કરી રહ્યાં છે. PM મોદી વડોદરમાં સભાને સંબોધી હતી અને તેમણે વિકાસની ગાથા વર્ણવી હતી અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાત, દેશના જીવન માટે આગામી 25 વર્ષ અગત્યના:PM મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, છેલ્લા બે ત્રણ દિવસથી જનતા જનાર્ધનના દર્શન કરવાનો મને લાવો મળ્યો છે. તેમણે કહ્યું કે, તમારો ઉત્સાહથી લાગે છે કે, આ ચૂંટણી ના તો નરેન્દ્ર લડે છે ના તો ભૂપેન્દ્ર લડે છે, આ ચૂંટણી જનતા લડે છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં અખંડ એક ધારા વિકાસની યાત્રા ચાલે છે. તેમણે ઉમેર્યું કે, આ વિકસીત ગુજરાત ન ભૂપેન્દ્ર બનાવશે કે ન ભૂપેન્દ્ર બનાવશે પરંતુ તમારો એક વોટ વિકસીત ગુજરાત બનાવશે. તેમણે કહ્યું કે, ગુજરાત અને દેશના જીવન માટે આગામી 25 વર્ષ અગત્યના છે આપણે ગુજરાતને કેટલી ગતિથી આગળ વધારવું છે તે યુવાનીઓ પર નિર્ભર છે.
પાવાગઢને મુસ્લિમ આક્રાંતાઓએ તોડ્યું હતું:PM
PMએ જણાવ્યું કે, આસ્થાના કેન્દ્રનો વિકાસ કરવાનો કામ અમે કર્યો છે. તેમણે ઉમેર્યું કે, પાવાગઢમાં અનેક વિકાસના કાર્ય કર્યો છે. પાવાગઢને મુસ્લિમ આક્રાંતાઓએ તોડ્યું હતું, 500 વર્ષ પછી મને ધજા ફરકાવવાનો અવસર મળ્યો છે આજે દર્શનાર્થોની સંખ્યા પણ વધી ગઈ છે.
પોરબંદરની જેલને તાળા મારવા પડ્યા હતા:PM
PM મોદીએ સભાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાત જોઈ બીજા લોકો ટ્વીટર પર લખી રહ્યાં છે કે, કાશ આવી સ્થિતી હિન્દુસ્થાનની ખુણા ખુણાની હોત સારી. તેમણે જણાવ્યું કે, પહેલા તો કરફ્યું તો જાણે છેડે બાંધ્યો હોય તેમ થતા અને અસામાજિક તત્વોનો આંતક હતો કારણ કે, કોંગ્રેસ સમયમાં તેમને સરકાર સાચવતી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે પણ કોંગ્રેસ સાશિત રાજ્યો જોઈ લો આવી છાસવારે ઘટનાઓ સામે આવે છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના સમયમાં પોરબંદરની જેલને તાળા મારવા પડ્યા હતા અને બોર્ડ મારવું પડ્યું હતું કે, અહીં ગુજરાત સરકારની કાયદા વ્યવસ્થાની હદ પૂરી થાય છે.
ભારત ઈકોનોમીમાં અને ઈકોલોજી બંન્નેમાં આગળ વધી રહ્યું છે:PM મોદી
વડાપ્રધાને મોદીએ જણાવ્યું કે, ભારત ઈકોનોમીમાં આગળ વધુ રહી છે સાથો સાથ ઈકોલોજીમાં આગળ વધી રહ્યાં છે જેમાં ગુજરાતની ભૂમિકા પણ રહેલી છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર અને ભૂપેન્દ્રના ડબલ એન્જિનની સરકાર વિકાસ પર બળ આપે છે તેમણે કહ્યું કે, ઝૂંપડીમાંથી મકાનમાં રહેવા જાય તેવું કામ કર્યું છે.
બધા વડીલોને મારા પ્રણામ પાઠવજો:PM મોદી
તેમણે કહ્યું કે, વડોદરા પાસે કંઈક માગવા આવ્યો છું, આ વખતે મતદાનનો રેકોર્ડ બનાવવાનો છે, અને જેમાંથી કમળ વધુ નીકળવા જોઈએ. તેમણે કહ્યું કે, બધા વડીલોને મારા પ્રણામ પાઠવજો, ભૂલ્યા વિના મારા પ્રણામ કહેજો અને તે મને આશીર્વાદ આપશે.