કેટલાક મીડિયા સંસ્થાનો તરફથી લૉકડાઉનના પાંચમાં તબક્કાને લઇને કેટલાક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આના પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારના દાવાઓમાં કોઈ દમ નથી. ગૃહ મંત્રાલયે પોતાના સ્પષ્ટીકરણમાં સ્પષ્ટ કહ્યું છે કે, લૉકડાઉન 5.0ના સમાચાર પાયાવિહોણા છે. ધ્યાર રહે કે લૉકડાઉનની રૂપરેખા રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નક્કી કરે છે.
PM મોદી 31 મેએ કરશે મન કી બાત
દેશમાં 31 મેએ લોકડાઉન-4 થાય છે પૂર્ણ
લૉકડાઉન 5.0ના સમાચાર પાયાવિહોણાઃ ગૃહ મંત્રાલય
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને ભારતમાં ચોથા તબક્કાનું લોકડાઉન 31મીએ પુર્ણ થઇ રહ્યું છે. જો કે 31મીએ મહિનાનો અંતિમ રવિવાર હોય PM મોદી દેશની જનતા સાથે રેડિયો પર મન કી બાત કરશે. જો કે એવી અટકળો લગાવામાં આવી રહી હતી કે આ દિવસે PM મોદી મન કી બાતમાં આગામી લોકડાઉન-5ને લઇને કોઇ જાહેરાત કરે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ આના પર સ્થિતિને સ્પષ્ટ કરતા કહ્યું કે આ સંપૂર્ણ એક અટકળ છે જે બિલકુલ પાયાવિહીન છે. પ્રવક્તાએ ટ્વિટ કરીને કહ્યું કે આ અટકળોને ગૃહ મંત્રાલયની સાથે જોડવી ઉચિત નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે દેશની જનતા સાથે મન ની વાત કરતાં હોય છે. મહત્વનું છે કે, હાલમાં દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશના 11 શહેરમાં સૌથી વધુ કોરોના કેસ સામે આવ્યાં છે. જેમાં મુંબઇ, દિલ્હી, અમદાવાદ, જયપુર, ચેન્નાઇ, બેંગ્લોરમાં કોરોના સૌથી વધુ કેસ જોવા મળ્યાં છે.