પ્રધાનમંત્રી મોદીએ નવા વર્ષના પ્રથમ મહિનામાં મન કી બાત કાર્યક્રમને સંબોધન કર્યું છે. આ દરમિયાન પીએમના સંબોધનમાં ચૂંટણીવાળા રાજ્યોની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી હતી.
મન કી બાતમાં વડાપ્રધાને મહાત્મા ગાંધીને યાદ કર્યા
ચૂંટણીવાળા રાજ્યોની દેખાઈ સ્પષ્ટ અસર
દેશના યુવાનોને આપી શિખાણ
પ્રધાનમંત્રી મોદીએ નવા વર્ષના પ્રથમ મહિનામાં મન કી બાત કાર્યક્રમને સંબોધન કર્યું છે. આ દરમિયાન પીએમના સંબોધનમાં ચૂંટણીવાળા રાજ્યોની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે આ રાજ્યોને કવર કરવાની કોશિશ કરી છે. પીએમે જાટ રાજા મહેન્દ્ર પ્રતાપનો ઉલ્લેખ કર્યો હતો. કહ્યું હતું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે એક ટેકનિકલ સ્કૂલની સ્થાપના માટે પોતાનું ઘર આપી દીધું હતું. તેમણે અલીગઢ અને મથુરામાં શિક્ષણ સંસ્થાના સ્થાપવામાં આર્થિક મદદ કરી હતી. આ દરમિયાન તેઓ બીએચયુનો ઉલ્લેખ કરવાનું પણ ભૂલ્યા નહોતા. પીએમ મોદીએ ઉત્તરાખંડ અને મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડની બસંતી દેવીને પદ્મશ્રીથી સન્માનિત કકર્યા છે. બસંતી દેવીએ પોતાનું આખું જીવન સંઘર્ષોની વચ્ચે વિતાવ્યું. આવી જ રીતે મણિપુરની 77 વર્ષની લૌરેમ્બમ બીનો દેવી દાયકાઓથી મણિપુરના લીબા ટેક્સટાઈલનું સંરક્ષણ કરી રહ્યું છે. તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત મહાત્મા ગાંધીને યાદ કરતા કરી હતી. કહ્યું કે, આજે આપણા પૂજ્ય મહાત્મા ગાંધીની પુણ્યતિથી પણ છે. 330 જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપૂની શિક્ષાઓની યાદ અપાવે છે. આગળ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા આપણે ગણતંત્ર દિવસ પણ મનાવ્યો. દિલ્હીમાં રાજપથ પર આપણે દેશના શૌર્ય અને સામર્થ્યની જે ટેબ્લો જોયા, તેને સૌને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા છે. એક પરિવર્તન જે આપણે જોયું હશે, કે આ વખતે ગણતંત્ર પર્વ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિથી શરૂ થાય છે અને 30 જાન્યુઆરી સુધી એટલે કે, ગાંધી પુણ્યતિથીએ પુરો થાય છે. ઈંડિયા ગેટ પર નેતાજીની ડિજીટલ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.
પીએમ મોદીએ કહ્યું કે, દેશે નેતાજીની પ્રતિમા લગાવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. દેશના દરેક ખૂણામાંથી આનંદની લહેર આવી રહી છે. દરેક દેશવાસી જે રીતના ભાવના વ્યક્ત કરી રહ્યા છે. તેને અમે ક્યારેય ભૂલી શકીશું નહીં. અમે જોયું છે કે, ઈંડિયા ગેટ નજીક અમર જવાન જ્યોતિ અને નજીકમાં આવેલા નેશનલ વોર મેમોરિયલ પર પ્રજ્જવલિત જ્યોતિને એક કરવામા આવી છે. આ ભાવૂક અવસર પર કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસૂ આવી ગયા હતા. સાચ્ચે જ જો અમર જવાન જ્યોતિ માફક આપણા શહીદો તેમના પ્રેરણા અને તેમના યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહેવા માગું છું કે, જ્યારે પણ અવસર મળે તો, એક વાર નેશનલ વોર મેમોરિયલ જરૂરથી જશો. ત્યાં આપને અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.
રાષ્ટ્રપતિના વિરાટ ઘોડાનો કર્યો ઉલ્લેખ
પીએમે મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના અંગરક્ષક વિરાટ ઘોડાનો પણ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. વિરાટ આ વખતે ગણતંત્ર દિવસમાં સેવાનિવૃત થયો છે. પીએમે કહ્યુ કે, ભારતના લોકોની આ ખૂબી છે કે, આપણે દરેક ચેતન જીવ સાથે પ્રેમથી જોડાયેલા છે. આ વર્ષે આર્મી ડે પર ઘોડા વિરાટને સેના પ્રમુખ દ્વારા COAS Commendation Card આપવામાં આવ્યું છે. વિરાટની વિરાટ સેવાઓને જોતા, તેની સેવા નિવૃતિ બાદ શાનદાર રીતે તેની વિદાઈ કરવામાં આવી છે. પરેડને લીડ કરતો હતો. જ્યારે કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત થતું હતું ત્યારે તે પણ પોતાની ભૂમિકા નિભાવતો હતો.
કોરોનાની નવી વેવ સાથે દેશ સફળતાથી લડી રહ્યો છે
પીએમે કહ્યું કે, કોરોનાની નવી લેબર સામે દેશ સફળતાથી લડી રહ્યો છે. હવે કોરોનાના કેસોમાં ઓછા થવા લાગ્યા છે. લોકો સુરક્ષિત રહે, દેશની આર્થિક ગતિવિધિઓની ગતિ બની રહે. દરેક દેશવાસીઓની આ જ ઈચ્છા છે. પીએમ મોદીએ કહ્યું કે, 20 દિવસની અંદર એક કરોડ લોકોએ પ્રિકોસન ડોઝ પણ લઈ લીધો છે. આપણા દેશની વૈક્સિન પર દેશવાસીઓનો વિશ્વાસ એ આપણી સૌથી મોટી તાકાત છે.
અડધો કલાક મોડો ચાલું થયો પ્રોગ્રામ
મન કી બાત કાર્યક્રમ આ વખતે પોતાના નિર્ધારિત સમય કરતા થોડો મોડો શરૂ થયો હતો. હકીકતમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પણ છે. પીએમ મોદીએ પહેલા બાપૂને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અગાઉ મન કી બાત કાર્યક્રમ હંમેશા 11 વાગ્યે શરૂ થઈ જાય છે.