વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર ભાજપ દ્વારા દેશભરમાં લોકલ દિવાળી ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ લોકોને સ્થાનિક ચીજવસ્તુઓ ખરીદીને દિવાળી ઉજવવા અપીલ કરી છે.
પીએમ મોદીએ દિવાળી પૂર્વે દેશનવાસીઓને કરી ખાસ અપીલ
સ્થાનિક પ્રોડક્ટ્સઓને વધુ ખરીદવા માટે કરી અપીલ
ભાજપ દ્વારા દેશભરમાં લોકલ દિવાળી મનાવવાનું અભિયાન શરૂ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર ભાજપ દ્વારા દેશમાં લોકલ દિવાળી ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ લોકોને સ્થાનિક ચીજોની ખરીદી કરીને દિવાળીની ઉજવણી કરવાની અપીલ કરી છે. આ સાથે, દેશભરમાં ભાજપના કાર્યકરો સ્થાનિક દુકાનમાંથી જનતા માલ ખરીદે તે માટેનું અભિયાન શરૂ કરી રહ્યા છે, અને તે માટે આગ્રહ પણ કરી રહ્યા છે.
પીએમ મોદી એ વારાણસીમાં યોજનાઓનું કર્યું લોકાર્પણ
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં અનેક પ્રોજેક્ટનો ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતી વખતે દેશવાસીઓને આ વિશેષ અપીલ કરી હતી. તેમાં તેમણે જનતાને લોકલ પ્રોડક્ટ્સ વધુ માત્રા[માં ખરીદે તેવી અપીલ કરી હતી. જેણે લઈને ભાજપ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું, "હિન્દુસ્તાની તરીકે તમારી ફરજ બજાવો, લોકલ ને અપનાવો. તે માત્ર લોકલ આઇડેન્ટિટીને જ મજબૂત નહીં બનાવે પરંતુ આ માલ બનાવનારા લોકોની દિવાળી પણ સારી કરી નાંખશે. વધુમાં તેમણે કહ્યું હતું કે મારા દેશના લોકો જે પરસેવો પડી રહ્યા છે, કઇંક ને કઇંક નવું કરી રહ્યા છે, તેમનો હાથ પકડાવો તે દરેકનું કર્તવ્ય છે.
ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા એ પણ લોકોને અપીલ કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ અપીલ બાદ ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ લોકોને આ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાએ કહ્યું કે, "સજાવટની વસ્તુઓથી માંડીને માટીના દીવા અને સ્થાનિક શિલ્પ સુધી, લોકલ આપણા સ્થાનિક કારીગરોના જીવનમાં ન માત્ર સમૃદ્ધિ લાવે છે પરંતુ તે આપણી સંસ્કૃતિ અને વિરાસતનું પણ પ્રતીક છે. હું દરેકને પીએમ મોદી ના આ સ્પષ્ટ આહ્વાનમાં જોડવાની અપીલ કરું છું.