વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે અમૃત મહોત્સવની ગૂંજ દરેક જગ્યાએ હવે રહેવાની. સાથેજ તેમણે કહ્યું કે હું સત્તામાં નથી પરંતુ દેશની સેવા કરવા માટે આવ્યો છું.
મનકી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહી મોટી વાત
અમૃત મહોત્વ પર પીએમ મોદીએ આપ્યો ભાર
હું સત્તામાં નથી દેશની સેવા કરવા આવ્યો છું : PM મોદી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધન આપ્યું. જેમા મનકી બાત કાર્યક્રમનો આજે 83મો એપિસોડ હતો. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં ઘણા રાજ્યો છે. જ્યા લોકોએ તેમના પ્રાકૃતિક વારસાને જાળવીને રાખ્યો છે. સાથેજ અમુક લોકોએ પ્રકૃતિની સાથે તેમની જીવનશૈલીને આજે પણ જીવંત રાખી છે. તેવુ પણ તેમણે કહ્યું.
વીરતા યુદ્ધના મેદાનમાં દેખાડવી જરૂરી નથી
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે વીરતા હંમેશા યુદ્ધના મેદાનમાં દેખાડવી જરૂરી નથી. કારણકે જ્યારે વિરતાનો વિસ્તાર થાય છે ત્યારે દરેક ક્ષેત્રમાં કાર્યો સિદ્ધ થવા લાગે છે. ઉપરાંત તેમણે કહ્યું આપણા દેશના રાજ્યોમાં લોકો તેમના પ્રાકૃતિક વારસાને રંગોથી ભરીને રાખે છે.
દરેક જગ્યાએ અમૃત મહોત્સવની ગુંજ
સાથેજ તેમણે કહ્યું કે અમુક લોકો આજે પણ તેમની જીવશૈલી જીવંત રાખે છે. તે આપણા બધા માટે એક પ્રેરણા સમાન કહી શકાય. અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે દેશના લોકોને કઈક કરવાની પ્રેરણા આપે છે. દેશનો સામાન્ય નાગરીક હોય કે સરકાર હોય. પંચાયત હોય કે સંસદ હોય દરેક લોકો સુધી અમૃત મહોત્સવી ગુંજ છે. અને આ ઉત્સવને લગતા કાર્યક્રમો પણ અવિરત ચાલુ રહેશે તેવું પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું.
1971ના જીતને યાદ કરી વીરોને પ્રણામ કર્યા
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ડિસેમ્બરમાં દેશમાં નેવી ડે અને આર્મ્સ ફોર્સ ફ્લેગ ડે લોકો મનાવે છે. બધાને ખ્યાલ છે કે 16 ડિસેમ્બરે 1971માં ભારતે યુદ્ધમાં જીત હાંસલ કરી હતી. જેથી પીએમ મોદી પોતાના સંબોધનમાં દેશના સુરક્ષા બળને પ્રણામ કર્યા હતા.
હું સત્તામાં નથી સેવામાં છું : PM મોદી
સંબોધનમાં પીએમ મોદીએ આજે એવું પણ કહ્યું કે હુ સત્તામાં નથી અને ભવિષ્યમાં પણ સત્તામાં નથી ઈચ્છતો હુ તો માત્ર દેશની સેવા કરવા માગું છું મારા માટે પ્રધાનમંત્રીનું પદ સત્તા માટે નથી પરંતુ સેવા માટે છે.
અગાઉ સ્વચ્છતા અભિયાન પર ભાર આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે મન કી બાત કાર્યક્રમનો પહેલો એપિસોડ પીએમ મોદીએ 3 ઓગસ્ટ 2014ના રોજ પ્રસારિત કર્યો હતો. અગાઉ તેમણે 24 ઓક્ટોબરે આ કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો જેમા સ્વચ્છ ભારત અભિયાન પર તેમણે જોર આપ્યું હતું. જોકે આજે પીએમ મોદીએ એવું પણ કહ્યું કે ભારત દુનિયાનો પહેલો એવો દેશ છે કે જે ડ્રોનની મદદ થી પોતાના ગામ અને જમીનનો ડિજીટલ રેકોર્ડ તૈયાર કરી રહ્યો છે.