ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે.અને 2022માં ચૂંટણી જીતશે તો પણ રહેશે. આવું અમે નથી કહેતા. પરંતુ આપણા પ્રધાનમંત્રી મોદીએ ખુદ સંકેત આપ્યા છે.અને ભૂપેન્દ્ર પટેલના ચહેરા સાથે જ ભાજપ વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરશે.ત્યારે શા માટે ભૂપેન્દ્ર પટેલ પર ભાજપને ભરોસો છે,. આવો જોઈએ.
જે હું ન કરી શક્યો તે. CM.CRની જોડીએ કરી બતાવ્યું.પટેલ.પાટીલની જોડીએ કરી બતાવ્યું.
પ્રધાનમંત્રી મોદીના આ શબ્દો દક્ષિણ ગુજરાતની ભૂમી પરથી ગુંજ્યા. ચીખલી ખાતે જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતુમૂહુર્ત કર્યું. સાથે સાથે આ વિસ્તારમાં જે વિકાસના કાર્યો થયાં. અને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે. તેના પણ ભરપેટ વખાણ કર્યા. પ્રધાનમંત્રી મોદીના આ નિવેદન પરથી કેલાક નેતાઓનું સ્પષ્ટ માનવું છે કે, આગામી ચૂંટણીમાં ભાજપ જીતશે તો પણ મુખ્યમંત્રી તો ભૂપેન્દ્ર પટેલ જ હશે. કારણ કે, તેમની સ્પષ્ટ ]વી અને જનતા પ્રત્યેનો લગાવ. તેમજ આમ નાગરિકની જેમ લોકો વચ્ચે ભળી જવાની કળા જ લોકોને આકર્ષી રહી છે. જોકે આ સંકેતથી કેટલાક સિનિયર નેતાઓના પેટમાં જરૂરથી તેલ રેડાયું હશે. પરંતુ ભાજપમાં નિર્ણય તો હાઈકમાન્ડનો જ ચાલે છે.
વારંવાર પ્રધાનમંત્રી મોદી કરી ચૂક્યા છે મુખ્યમંત્રીના વખાણ, ગુજરાતના દરેક પ્રવાસમાં મુખ્યમંત્રીને કરાયા હાઈલાઈટ
નવી સરકાર અને જૂની સરકાર વચ્ચે નિષ્ણાંતોનો એવો મતો છે કે, CR અને VR વચ્ચે તાલમેલનો અભાવ હતો. પરંતુ જ્યારથી ભૂપેદ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા છે. ત્યારથી સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જોવા મળી રહ્યો છે. અને CR અને CM સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે. જોકે આગામી 2022 પછી પણ ભૂપેદ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા રહેશે તે મુદ્દે રાજકીય નિષ્ણાતો શું કહે છે. જરા તે પણ સાંભળો.
મહત્વનું છે કે, જેમ-જેમ 2022ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. આગામી 18 મી જૂને પણ પ્રધાનમંત્રી મોદી વડોદરાના પ્રવાસે આવી રહ્યા છે. અને આ દરમિયાન પણ પટેલ-પાટીલના વખાણ સાંભળવા મળી શકે છે. ત્યારે જોવાનું એ રહેશે કે, 2022માં ભાજપ ચૂંટણી જીતે છે. તો મુખ્યમંત્રી કોને બનાવે છે.