બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi made a big announcement for small traders, you too will be happy to hear

ખુશખબર / નાના વેપારીઓ માટે PM મોદીએ કર્યું મોટું એલાન, સાંભળીને તમે પણ થઈ જશો ખુશ

Priyakant

Last Updated: 04:10 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી પગલાં લેવા તૈયાર છે: નરેન્દ્ર મોદી

  • આત્મનિર્ભર ભારત માટે MSME જરૂરી: નરેન્દ્ર મોદી 
  • ખાદી અને ગ્રામોદ્યોગનો બિઝનેસ પહેલીવાર 1 લાખ કરોડને પાર 
  • સરકાર નીતિઓમાં જરૂરી ફેરફારો પણ લાવી રહી છે: વડાપ્રધાન 

મોદી સરકાર દેશના નાના વેપારીઓ માટે સતત વધુ સારા પગલાં લઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) સેક્ટરને ખાતરી આપી હતી કે, સરકાર નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી પગલાં લેવા તૈયાર છે. તેઓ સરકારની 'આત્મનિર્ભર ભારત પહેલ'માં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

આત્મનિર્ભર ભારત માટે MSME જરૂરી: નરેન્દ્ર મોદી 

'ઉદ્યોગ સાહસિક ભારત' કાર્યક્રમને સંબોધતા, વડાપ્રધાને નાના ઉદ્યોગસાહસિકોને સરકારને માલના સપ્લાય માટે સરકારી પ્રાપ્તિ પ્લેટફોર્મ, GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) પોર્ટલ પર નોંધણી કરાવવા પણ કહ્યું હતું. મોદી કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે MSME જરૂરી છે. છેલ્લા આઠ વર્ષમાં MSME સેક્ટરે આત્મનિર્ભર ભારતને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી છે.

 

સરકાર નીતિઓમાં જરૂરી ફેરફારો પણ લાવી રહી છે: વડાપ્રધાન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'હું ઈચ્છું છું કે આવતા અઠવાડિયે GeM પોર્ટલ પર એક કરોડ નવા રજિસ્ટ્રેશન થાય.' તેમણે કહ્યું કે સરકારે MSME સેક્ટરને મજબૂત કરવા માટે છેલ્લા આઠ વર્ષમાં બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો છે. વડા પ્રધાને કહ્યું કે જો કોઈ ઉદ્યોગ વિકાસ, વિસ્તરણ કરવા માંગતો હોય તો સરકાર તેને માત્ર સમર્થન જ નથી આપી રહી પરંતુ નીતિઓમાં જરૂરી ફેરફારો પણ લાવી રહી છે.

 

આઠ વર્ષમાં ખાદીનું વેચાણ ચાર ગણું વધ્યું 

નરેન્દ્ર મોદી એમ પણ કહ્યું કે, ખાદી અને ગ્રામોદ્યોગનો બિઝનેસ પહેલીવાર એક લાખ કરોડને પાર કરી ગયો છે. છેલ્લા આઠ વર્ષમાં ખાદીનું વેચાણ ચાર ગણું વધ્યું છે. અગાઉ, મોદીએ MSMEsના પ્રદર્શનને વધારવા અને વેગ આપવા માટે રૂ. 6,000 કરોડની યોજના 'રેમ્પ' (એમએસએમઇ પ્રદર્શનને વધારવા અને વેગ આપવા) શરૂ કરી હતી. 

Empowering MSME sector for a self-reliant India! Addressing 'Udyami Bharat' programme. https://t.co/DHSZxkTnMS

નોંધનીય છે કે, સરકારે માલ અને સેવાઓની નિકાસને પ્રોત્સાહિત કરવા માટે 'ફર્સ્ટ ટાઈમ એક્સપોર્ટર્સ MSME એક્સપોર્ટર્સ (CBFTE)'ની ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરી છે. આ સાથે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP)ની નવી સુવિધાઓ પણ રજૂ કરી હતી. તેમાં ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્તમ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 25 લાખથી વધારીને રૂ. 50 લાખ અને સેવા ક્ષેત્રમાં રૂ. 10 લાખથી રૂ. 20 લાખ કરવાનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

MSME Narendra Modi honda ઉદ્યોગ સાહસિક ભારત ખાદી અને ગ્રામોદ્યોગ નરેન્દ્ર મોદી વડાપ્રધાન Good News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ