પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં પોતાના સંબોધનમાં ખાનગીકરણને સપોર્ટ કર્યો અને ફરી એકવાર કહ્યું કે, વેલ્થ ક્રિએટર દેશ માટે જરૂરી હોય છે.
PM મોદીએ લોકસભામાં પોતાના સંબોધનમાં ખાનગીકરણને સપોર્ટ કર્યો
દરેક ભારતવાસીનો પરસેવો લાગે છે, ત્યારે દેશ આગળ વધે છે: PM મોદી
IAS બની ગયા તો ફર્ટિલાઇઝરનું કારખાનું ચલાવશે?: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે, દેશનું સામર્થ્ય વધારવામાં તમામનું સામૂહિક યોગદાન છે. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી કક્ષથી લઇને કામખ્યા સુધી જ્યારે દરેક ભારતવાસીનો પરસેવો લાગે છે, ત્યારે દેશ આગળ વધે છે. હું કોંગ્રેસના મિત્રોને યાદ અપાવવા માંગુ છું કે દેશ માટે પબ્લિક સેક્ટર જરૂરી છે તો પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી પણ એટલું જ જરૂરી છે.
શું ભારતના તમામ વેક્સિન નિર્માતા સરકારી છે?: PM મોદી
પીએમ મોદીએ ઉદાહરણ આપતા સમજાવ્યું કે, સરકારે મોબાઇલ મેન્યુફૈક્ચરિંગને પ્રોત્સાહિત કર્યું. કેટલાક મોબાઇલ કંપનીઓ આવી. આજે ગરીબથી ગરીબ પરિવાર સુધી સ્માર્ટફોન પહોંચી રહ્યો છે. ટેલીકૉમ સેક્ટરમાં સ્પર્ધા પૈદા કરવામાં આવી. મોબાઇલ પર વાત કરવી બહુ બહુ ઝીરો થઇ ગઇ. આજે હિન્દુસ્તામાં સૌથી સસ્તો ડેટા છે. શું ભારતના તમામ વેક્સિન નિર્માતા સરકારી છે? આપણે ક્યારેય પણ ખાનગીકરણને નકારવું ખોટું હશે. આપણે આપણા દેશના નવયુવાનો પર ભરોસો હોવો જોઇએ. દરેકને અવસર મળવો જોઇએ. કોઇને ગાળ આપવી અને કપટી કહેવા ખોટું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે દુનિયા બદલી ચૂકી છે. સમાજની અંદર તાકાત છે, દેશની અંદર તાકાત છે. દરેકને અવસર મળવો જોઇએ. દરેકને બેઈમાન બોલવું આ કલ્ચર કોઇ જમાનામાં રહી ગયું. હું લાલ કિલ્લાથી કહેતો હતો કે વેલ્થ ક્રિએટર પણ જરૂરી હોય છે. ત્યારે તો વેલ્થ વહેંચીશું. ગરીબ સુધી વેલ્થ વહેંચીશું ક્યાંથી. રોજગાર કેવી રીતે આપીશું.
IAS બની ગયા તો ફર્ટિલાઇઝરનું કારખાનું ચલાવશે?: PM મોદી
પીએમ મોદીએ વાતને વિસ્તાર આપતા વધુમાં કહ્યું કે, બધુ બાબૂ કરશે શું? IAS બની ગયા તો ફર્ટિલાઇઝરનું કારખાનું ચલાવશે. IAS થઇ ગયા તો તે કેમિકલ ફેક્ટ્રી પણ ચલાવશે. IAS થઇ ગયા તો તે પ્લેન પણ ચલાવશે. બાબુઓના હાથમાં દેશ આપીને આપણે શું કરવાના. આપણા બાબૂ જો દેશના છે તો દેશના નવયુવાનો પણ દેશના છે. આપણે યુવાનોને જેટલી તાકાત આપશે તેનો એટલો જ ફાયદા થવાનો છે.
કન્ટેન્ટ અને ઇવેન્ટ પર ચર્ચા કરશે તો સારૂ હોતઃ પીએમ મોદી
કૃષિ કાયદાઓ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આ કોરોના કાળમાં ત્રણ કૃષિ કાયદા પર પણ લવાયા. આ કૃષિ સુધારનો સિલસિલો બહુજ જરૂરી છે, મહત્વપૂર્ણ છે અને વર્ષોથી આપણુ કૃષિ ક્ષેત્ર જે દબાણ અનુભવી રહ્યું છે તેના માટે આપણે પ્રયાસ કર્યો છે. અહીં પર જે ચર્ચા થઇ વિશેષરીતે કોંગ્રેસના મિત્રોએ જે ચર્ચા કરી તેના કાયદાના કલર પર બહુ ચર્ચા થઇ કે બ્લેક છે કે વ્હાઇટ છે, સારુ હોત કે તેના કન્ટેન્ટ પર ચર્ચા કરતા સારુ થાત કે તેના ઇન્ટેન્ટ પર ચર્ચા હોત જેથી દેશના ખેડૂતો સુધી સાચી વસ્તુ પહોંચી શકત.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આંદોલન કરી રહેલા તમામ ખેડૂત ભારીઓનું આ સદન પણ અમે આ સરકાર પણ આદર કરે છે અને આદર કરતી રહેશે. આના માટે સરકારના વરિષ્ઠ મંત્રી જ્યારે આ આંદોલન પંજાબમાં હતું ત્યારે પણ અને બાદમાં પણ સતત વાત કરી રહ્યા છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું ખેડૂત આંદોલનને પવિત્ર માનું છું પરંતુ જ્યારે આંદોલનજીવી પવિત્ર આંદોલનને પોતાનો લાભ આપવા માટે નિકળે છે તો આંદોલનની પવિત્રતા નષ્ટ કરે છે. આંદોલનજીવી દેશને ગુમરાહ કરી રહ્યા છે. દેશને આવા આંદોલનજીવીઓની ઓળખ કરવું જરૂરી છે. દેશને આંદોલનકારીઓ અને આંદોલનજીવીઓ વચ્ચે ફરક કરવું જરૂરી છે.