બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના અનેક મુદ્દા પર ચર્ચા કરશે
અમિત શાહે આજે અજિત ડોવાલ સહિત આ લોકો સાથે કરી બેઠક
2019માં કેન્દ્ર સરકારે કલમ 370ને રદ્દ કરી હતી
બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના અનેક મુદ્દા પર ચર્ચા કરશે
આ જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી શકે છે. વર્ષ 2019માં કલમ 370 ને ખતમ કરવા પર ઉભી થયેલી રાજનીતિક અવરોધને સમાપ્ત કરવા માટે પીએમનું આ પહેલુ મોટું પગલું છે. જમ્મુ કાશ્મીરના એક વરિષ્ઠ નેતાએ એક ચેનલને જણાવ્યું કે અમે આવનારા અઠવાડિયે એક બેઠક અંગે સૂચિત કરવામાં આવ્યા છે. જોકે અમે ઔપચારિક નિમંત્રણની રાહ જોઈ રહ્યા છીએ.
અમિત શાહે આજે અજિત ડોવાલ સહિત આ લોકો સાથે કરી બેઠક
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ, જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહ અને શીર્ષ સુરક્ષા અને ખાનગી અધિકારીઓની મુલાકાત કરી.
2019માં કેન્દ્ર સરકારે કલમ 370ને રદ્દ કરી હતી
ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે એ કલમ 370ને રદ્દ કરી નાંખી જે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતો હતો. આની સાથે રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ- કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી નાંખ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી, ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લાને કેન્દ્ર સરકારેના આ નિર્ણયનું એલાન કરતા પહેલા ધરપકડ કરી હતી. તેમને અનેક મહિનાઓ બાદ છોડવામાં આવ્યા હતા.
જમ્મુ- કાશ્મીરમાં સ્થાનીય કોર્પોરેશન ચૂંટણી થઈ
કેન્દ્રએ ડિસેમ્બરમાં જમ્મુ- કાશ્મીરમાં સ્થાનીય કોર્પોરેશન ચૂંટણી કરાવી હતી. ગુપકર ગઠબંધને 100થી વધારે સીતો જીતી અને ભાજપ 74 સીટોની સાથે સૌથી મોટી પાર્ટીના રુપમાં ઉભરી હતી. જમ્મુ કાશ્મીરને લઈને આ સમાચાર ત્યારે આવ્યા છે . જ્યારે ભારત અને પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. જે બન્ને દેશોની વચ્ચે 2019 બાદ પહેલી મોટી શાંતિની પહેલ છે.