ભારતનાં પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ 66 વર્ષની ઉંમરે દિલ્હીની AIIMS ખાતે શનિવારે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે દેશના પ્રધાનમંત્રી અને અરૂણ જેટલીના જીગરજાન મિત્ર નરેન્દ્ર મોદી હાલ વિદેશ યાત્રાએ છે. ત્યારે સૂત્રો અનુસાર પોતાનો આગળનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને બહેરીનમાં શ્રીનાથજી મંદિરનું ઉદ્ઘાટન કરીને બપોરે અરૂણ જેટલીની અંતિમ વિધિમાં સામેલ થઈ શકે છે.
અરૂણ જેટલીને યાદ કરી થયાં ભાવુક
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજ મારી અંદર અત્યંત દર્દ છૂપાયેલું છે. હું આટલો દુર છું અને મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો. પ્રધાનમંત્રી મોદીએ ઓગસ્ટ મહિનાને યાદ કરતા કહ્યું કે, થોડા દિવસ પહેલા બહેન સુષમા ચાલ્યા ગયા, આજે મારી સાથે ચાલનારો મિત્ર ચાલ્યો ગયો.
વિદેશ પ્રવાસ ટૂંકાવી શકે
વિદેશ પ્રવાસે રહેલા પ્રધાનમંત્રી મોદીએ અરૂણ જેટલીના નિધનને પગલે પોતાનો આગળનો વિદેશ પ્રવાસ ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે, આગામી દિવસોમાં ફ્રાન્સ ખાતે G-7 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM મોદી ભાગ લેવાના હતા પરંતુ અરૂણ જેટલીના નિધનને પગલે તેઓ રવિવારે સવારે ભારત આવવા રવાના થશે.
રવિવારે બપોરે 2 વાગે થશે અંતિમ સંસ્કાર
ભારતનાં પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીની AIIMS ખાતે આજે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધાં હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં દિવસથી તબિયત લથડતાં AIIMS હોસ્પિટલ દાખલ કરાયાં હતાં. તેઓનાં આવતી કાલે 2 વાગ્યે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાશે.