કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારે ભેટ આપી છે. કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે તેમને પગાર સાતમાં વેતન આયોગની ભલામણો કરતા પણ વધુ કરવામાં આવે. હવે કેન્દ્રીય કર્મચારી લીવ ટ્રાવેલ કન્સેસન (LTC) અલાઉન્સ પર જમ્મૂ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યો માટે વધુ 2 વર્ષ સુધી વિમાનથી યાત્રી કરી શકશે. કર્માચરીઓને LTC એલાઉન્ટ લેવાની સાથે આવવા-જવાની ટિકિટ ચૂકવણીની સાથે પેઇડ લીવ પણ મળે છે. કાર્મિક મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યુ છે કે સરકારી કર્મચારીઓ આ જગ્યાઓએ જવા માટે પ્રાઇવેટ એરલાઇન્સથી પણ યાત્રા કરી શકશે.
કેન્દ્ર સરકારે 2014માં LTCના નિયમોમાં છૂટ આપતા સરકારી કર્મચારીઓને જમ્મૂ-કાશ્મીર પૂર્વોત્તર અને આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ માટે હવાઇ યાત્રાની અનુમતી આપી હતી. આ અનુમતીને સમયાંતરે વધારવામાં પણ આવે છે છેલ્લે વર્ષ 2016માં તેમાં આ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા હતા. આ સ્કીમમાં સરકારી કર્મચારીઓને 25 સપ્ટેમ્બર 2018 સુધી જમ્મૂ-કાશ્મીર પૂર્વોત્તર અને આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહની હવાઇયાત્રાની અનુમતી આપવામાં આવી હતી.
મંત્રાલયની તરફથી કર્મચારીઓને LTCના નિયમોનો દુરુપયોગ નહી કરવા અંગેની ચેતવણી પણ આપવામાં આવી છે તે આદેશ પ્રમાણે સરકારી કર્મચારીઓને સૌપ્રથમ સસ્તા દરની વિમાન યાત્રાની ટિકિટ બુક કરાવવા માટે પ્રયત્ન કરવા જોઇએ. LTCનો દુરપોગ કરનાર કર્માચારીઓ વિરુદ્ઘ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. LTCનો દુરુપયોગ રોકવા માટે તમામ વિભાગોને સલાહ આપવામાં આવી છે કે કર્મચારીઓ દ્વારા જમા કરવામાં આવેલા કેટલીક હવાઇ ટિકિટ સંબંધિત એરલાઇન્સ સાથે તે અંગેની ખાતરી કરી લે અને વિમાનની યાત્રાની વાસ્તવિક કોસ્ટની સાથે વિમાન ટિકિટો પર આપવામાં આવેલ કોસ્ટની સાથે તેનો તાળો મેળવે. આ ઓર્ડર કેન્દ્ર સરકારના તમામ વિભાગોના સેક્રેટરીઝને રજૂ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી LTCની આ સુવિધા 2 વર્ષ માટે વધારવાના કારણે એરલાઇન્સને પણ ફાયદો થશે અને તેઓને રૂટ્સમાં વધુ યાત્રીઓ પણ મળશે.