સીબીઆઇ નિદેશક પદ પરથી આલોક વર્માના સસ્પેન્ડ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 3 સભ્યોની પસંદગી સમિતિની બેઠક 24 જાન્યુઆરીના રોજ મળશે. જેમાં નવા સીબીઆઇના નિદેશકની પસંદગી કરવામાં આવશે.
આ સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા અથવા સૌથી મોટા પક્ષના નેતા સામેલ હોય છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આલોક વર્માની સીબીઆઇ નિદેશક તરીકેની મંજૂરીના બે દિવસ બાદ 10 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય ન્યાયધીશના પ્રતિનિધી જસ્ટિસ એ. કે. ચૌધરી અને સથી મોટા વિપક્ષી દળ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેની સમિતિએ બેઠક યોજી હતી.
જેમાં આલોક વર્માને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ ઉચ્ચ સ્તરીય પસંદગી સમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જસ્ટિસ સીકરીએ આલોક વર્માને પદ પરથી દૂર કરવા સમર્થન આપ્યું હતું જયારે લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ તેનો વિરોધ કર્યો હતો.
મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે આલોક વર્માને તેમની વાતને રજૂઆત કરવાની તક આપવી જોઇએ. આલોક વર્મા જેઓ 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થઇ રહ્યાં હતા. તેઓ પહેલા સીબીઆઇ નિદેશક છે જેઓ 2 વર્ષનો કાર્યકાળ પૂરો થયા પહેલા પદ પરથી હટાવામાં આવ્યાં છે.
સીબીઆઇના નિદેશક પદ પરથી આલોક વર્માને હટાવ્યા બાદ એમ નાગેશ્વરને વચગાળાના નિદેશક તરીકે નિયુક્તી કરવામાં આવી છે.