નવી દિલ્હીઃ આજથી પ્રધાનમંત્રી મોદી સિંગાપોરના બે દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી મોદી સિંગાપોરમાં પુરસ્કાર સમારોહમાં હાજરી આપશે. સિંગાપુરમાં ચાલી રહેલ 'ઇન્ડિયા સિંગાપોર હેકાથોન'ના વિજેતાઓને પ્રધાનમંત્રી મોદીના હાથે પુરસ્કાર આપવામાં આવશે.
મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીના આગ્રહ બાદ 'ઇન્ડિયા સિંગાપોર હેકાથોન 2018'નું આયોજન કરવામાં આવ્યું હતું. તો પ્રધાનમંત્રી મોદી આ સિવાય પૂર્વ એશિયાના શિખર સંમેલનમાં પણ હાજરી આપશે તેમજ આસિયાનના નેતાઓ સાથે બ્રેકફાસ્ટ દરમિયાન ચર્ચા કરશે.
પીએમ મોદીની 14-15 તારીખ અંદાજિત 36 કલાકની યાત્રા વ્યસ્તતાથી ભરેલી હશે. પીએમ ફિન ટેક ઉત્સવ બેઠકને સંબોધિત કરશે. આ સિવાય 14 નવેમ્બરે તેઓ ફિનટેક મહોત્સવમાં 30 000 ટેકનિકલ જાણકારોને સંબોધિત કરશે. તેઓ ઇન્ડિયા આસિયાન બ્રેકફાસ્ટમાં પણ સામેલ થશે. ક્ષેત્રીય વેપાર આર્થિક ભાગીદારી બેઠકમાં તેઓ સામેલ થશે. પ્રધાનમંત્રીનો ઇન્ડિયા સિંગાપોર હૈકાથાનમાં સામેલ થવાનો પણ કાર્યક્રમ છે. જેમાં ભારત અને સિંગાપોરના 80-80 પ્રતિસ્પર્ધી સામેલ હશે.