યુપી વિધાનસભાની ચૂંટણીના અંતિમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે.
વારાણસીમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો
3 કિલોમીટર લાંબો રોડ યોજ્યો
પીએ મોદીના રોડ શોમાં માનવ મહેરામણ ઉમટ્યું
યુપીમાં વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના પ્રચાર માટે ભાજપ સહિતના રાજકીય પક્ષો રોડ શો કરી રહ્યાં છે. આ કડીમાં પ્રધાનમંત્રી મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 3 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો.
Huge turnout of people at PM Narendra Modi's roadshow in his parliamentary constituency of Varanasi, ahead of the seventh and the last phase of Uttar Pradesh Assembly elections pic.twitter.com/NZ14YdWKre
સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ કરીને રોડ શોની શરુઆત કરી
પીએમ મોદીએ ગોડૌલિયામાં સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરીને રોડ શોની શરૂઆત કરી હતી પીએમ મોદી માલદહિયાથી ગોદોલિયા સુધી 3 કિલોમીટર લાંબો રોડ શો કરી રહ્યા છે. પીએમ મોદીનો રોડ શો બાબા વિશ્વનાથ કોરિડોર સુધી જશે જ્યાં પીએમ મોદી કાશી વિશ્વનાથના દર્શન પણ કરશે.મોદી વારાણસી, કેન્ટ, સિટી નોર્થ અને સિટી સાઉથ એમ ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો યોજીને ભાજપના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
#WATCH Prime Minister Narendra Modi's roadshow as a part of campaigning for the last phase of Uttar Pradesh Assembly elections, in Varanasi, draws huge crowds of people
રોડ શો માટે વારાણસીમાં ભાજપના કાર્યકરો સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ જામી છે. પીએમ મોદીનું લોકો અને ભાજપના કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું છે. રોડ શોમાં ઉમટેલી ભીડ મોદીની એક ઝલક મેળવવા માટે બેતાબ લાગી રહી છે. જણાવી દઈએ કે યુપી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીનો છેલ્લો રાઉન્ડ 7 માર્ચે યોજાવાનો છે. છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે યોજાશે. યૂપી સહિત અન્ય ચાર રાજ્યોમાં ચૂંટણીના પરિણામ 10 માર્ચે જાહેર થશે.
Prime Minister Narendra Modi offered garland to the statue of Sardar Patel at Maldahiya Chowk in Varanasi, as he begins his roadshow#UPElections2022pic.twitter.com/oPMym4TfRG
રાહુલ-પ્રિયંકાએ પણ કર્યો રોડ શો
ઉત્તર પ્રદેશના રાજકારણમાં શુક્રવારનો દિવસ કાશીનો હતો. કાશી વિશ્વનાથના દર્શન કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રોડ શો કર્યો હતો. અહીં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી 2014થી વડાપ્રધાન છે. ત્યારબાદ તેમણે નોકરીઓ, 2 કરોડ નોકરીઓ, ખેડૂતોની આવક બમણી કરવા, કાળું નાણું દૂર કરવાનું વચન આપ્યું હતું. 15 લાખ રૂપિયા આપવાની વાત પણ કરી હતી. પરંતુ હવે એવું તે શું થયું છે કે તેઓ આ ચૂંટણીમાં રોજગાર, નોકરી અને ખેડૂતોની આવકની વાત નથી કરી રહ્યા?