રાજ્યના ખેડૂતોની આવક ડબલ કરવા મુદ્દે આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી મોટી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવા 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા કેટલું પેકેજ મળેશે તે મુદ્દે જાહેરાત કરી શકે છે.
ખેડૂતોની આવક ડબલ કરવા મુદ્દે થઈ શકે છે જાહેરાત
આવતીકાલે મુખ્યમંત્રી કરી શકે છે જાહેરાત
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે ત્યારે આ પેકેજ અંતર્ગત રાજ્યના ખેડૂતોની આવક ડબલ કરવા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરી શકે છે. કૃષિલક્ષી વિવિધ યોજનામાં ધિરાણ મુદ્દે જાહેરાત થઈ શકે છે. ગુજરાતના ખેડૂતોને કેટલો ફાયદો થશે તે અંગે વિગતવાર જાહેરાત કરશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને હેઠળ ખેડૂતોને 6000ની વાર્ષિક સહાય કરવામાં આવે છે. જે મુજબ ખેડૂતોને 3 હપતામાં હપ્તા દીઠ રૂા. 2000ની ચુકવણી કરવામાં આવે છે. ત્યારે આ યોજના હેઠળ ગુજરાતમાં 54.21 લાખ ખેડૂતોને આ લાભ મળ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તો હવે રાજ્યના ખેડૂતોને લઇને રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે.
PM-kisan samman nidhi has benefitted 54.21 lakhs farmers of Gujarat so far. Now, creation of much needed Agri-infrastructure will pave the way towards #AatmaNirbharKrishi