વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે RBIની બે નવી યોજના લોન્ચ કરી છે. જેમાં હવે સમાન્ય માણસો પણ હવે સરળતાથી રોકાણ કરી શકશે.
PM મોદીએ લોન્ચ કરી બે મોટી યોજના
RBIની યોજનાથી ઈન્વેસ્ટરોને થશે મોટો ફાયદો
ગવર્મેન્ટ સિક્યોરિટીમાં સામાન્ય માણસો પણ રોકાણ કરી શકશે
The two schemes- the RBI Retail Direct Scheme and the Reserve Bank- Integrated Ombudsman Scheme- launched today will expand the scope of investment in the country and make access to capital markets easier and more secure for investors: Prime Minister Narendra Modi pic.twitter.com/ajXfnYDFHV
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રિઝર્વ બેંકની બે નવી યોજનાઓની શરૂઆત કરી છે. જે યોજનાઓને કારણે સામાન્ય માણસોને હવે ઘણો ફાયદો મળી રહેશે. આ યોજનાઓને કારણે હવે ગવર્મેન્ટ સિક્યોરીટીમાં સામાન્ય માણસો રોકાણ સરળતાથી કરી શકસે સાથેજ તેમને જે કોઈ પણ સમસ્યા નડતી હતી તે સમસ્યાનું સમાધાન પણ સરળતાથી આવી જશે.
In the last 7 years, NPAs (non-performing assets) were recognized with transparency. The focus has been on resolution; multiple reforms were carried out in the financial system and public sector banks: PM Narendra Modi pic.twitter.com/yNvZ8ZaRb7
આ લોન્ચીંગમાં પીએમ મોદીએ કહ્યું કે આ નવી યોજનાઓને કારણે દેશમાં રોકાણનો વિસ્તાર વધશે. જેમા રોકાણકારોને વધું સરળતા રહેશે અને તેમની સુરક્ષા પણ બની રહેશે. વધુમાં તેમણે કહ્યું કે લોકોને હવે સુરક્ષિત રોકાણનો વધુ એક વિકલ્પ મલી ગયો છે. જેમા લોકો હવે ગર્વમેન્ટ સિક્યોરિટીમાં સરળતાથી રોકાણ કરી શકશે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજનાઓની શરૂઆત
સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમણે આ બે યોજનાઓની શરૂઆત કરી હતી. જે સમયે નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ પણ હાજર રહ્યા હતા.આ બંને યોજનાઓના નામ રીટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક ઈંટીગ્રેટેડ ઓમ્બડમેન સ્કીમ રાખવામાં આવ્યા છે.
1) રીટેલ ડાયરેક્ટ સ્કીમ
આ સ્કીમ અંતર્ગત સામાન્ય રોકાણકારોની સરકારી સિક્યોરિટી સુધી પહોચ વધારવામાં આવશે જેમા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ લોકોના રોકાણને વધારવા માટે એક રોડ મેપ તૈયાર કરવામાં આવશે. જેમા સામાન્ય માણસ પણ રિઝર્વ બેન્કની વેબસાઈટ પર ઓનલાઈન ખાતું ખોલાવીને ગવર્મેન્ટ સક્યોરિટીમાં રોકાણ કરી શકશે. જેને લઈને રિઝર્વ બેંક દ્વારા કોઈ ચાર્જ કે ફી પણ લેવામાં નહી આવે
2) રિઝર્વ બેંક ઈંટીગ્રેટેડ ઓમ્બડમેન સ્કીમ
આ યોજના દ્વારા રોકાણકારોની જે પણ ફરિયાદ હોય છે તેમા સુધાર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જેમા તેમની ફરિયાદોનું સમાધાન જલ્દી આવશે સાથેજ એકજ પોર્ટલ પર તેમની ફરિયાદ કરી શકશે સાથેજ ઈ મેલ પણ મોકલી શકાશે. જેમા જલ્દીથી જલ્દી તેમની સમસ્યાનું સમાધાન લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ યોજના દ્વારા એક વિંડો દ્વારા ગ્રાહક તેમની ફરિયાદ મોકલી શકશે. સાથેજ દસ્તાવેજો પણ જમા કરાવી શકશે. ઉપરાંત તેમની ફરિયાદો પર ધ્યાન આપીને તેમને સલાહ સૂચન પણ આપવામાં આવશે.